Connect Gujarat
દેશ

બિહાર : ભાગલપુરમાં 3 માળની ઇમારતમાં પ્રચંડ ધડાકો, 7 લોકોના મોત...

બિહાર : ભાગલપુરમાં 3 માળની ઇમારતમાં પ્રચંડ ધડાકો, 7 લોકોના મોત...
X

બિહાર રાજ્યના ભાગલપુરમાં ગત ગુરુવારની રાત્રિના સમયે એક ઇમારતમાં મોટો ધડાકો થતાં 3 માળનું મકાન ધરાશાયી થયું હતું. આ ઘટન્હામાં 7 વ્યક્તિઓના મોત નિપજ્યાં છે, જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે.

ભાગલપુરના કાજવલીચક વિસ્તારમાં આવેલ અનાથાશ્રમ નજીક 3 માળની ઇમારતમાં પ્રચંડ ધડાકો થયો હતો. આ ગંભીર દુર્ઘટનામાં 7 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ વિસ્ફોટ બોમ્બ બ્લાસ્ટના કારણે થયો હોવાની આશંકા સેવાઇ રહી છે, ત્યારે આ મામલે ભાગલપુર ડીઆઈજી સુજીત કુમારે જણાવ્યુ હતું કે, "પ્રારંભિક તપાસમાં ગન પાવડર અને ગેરકાયદેસર ફટાકડા તેમજ દેશી બનાવટના બોમ્બથી વિસ્ફોટ થયાની વાત સામે આવી છે, ત્યારે હવે FSL ટીમની તપાસ બાદ જ આ બ્લાસ્ટ કયા કારણોસર થયો તે નક્કી કરાશે. જોકે, પાડોશીઓએ એવો આક્ષેપ કર્યો છે કે, ઘરમાં બોમ્બ બનાવવામાં આવી રહ્યા હતા.

Next Story