New Update
/connect-gujarat/media/media_files/2025/06/10/AIUQGrOXm6tz7oOGywMu.jpeg)
અંકલેશ્વર શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે વર્ધી મળી હતી કે એક મહિલા નર્મદા મૈયા બ્રીજ ઉપરથી આત્મહત્યા કરવા જાય છે જે વર્ધી અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટર વી.યુ ગડરીયાએ પોલીસ સ્ટાફના માણસોને જાણ કરી તાત્કાલીક કાર્યવાહી કરવા સૂચના આપતા નર્મદા મૈયા બ્રીજ ઉપર જઇ તપાસ કરતા મહીલા નર્મદા મૈયા બ્રિજ ઉપર દેખાતા તાત્કાલીક સમય સુચકતા વાપરી મહિલાને નર્મદા નદીમા કુદતા પહેલા બચાવી લેવામાં આવી હતી અને તેને પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતા તેના ભાઇ સાથે બોલાચાલી થતા લાગી આવતા આત્મહત્યા કરવાનું વિચારીને નર્મદા નદીમાં આત્મહત્યા કરવા નદીમાં કુદી જવા માટે ગઈ હોવાની વિગતો બહાર આવી હતી.પોલીસે મહિલાને તેના પતિ તથા ભાઇનો સંપર્ક કરી કાઉન્સલીંગ કરી સમજાવી પરીવાર સાથે મોકલી આપવામં આવી હતી.