New Update
/connect-gujarat/media/post_banners/875a5050a776f4ca838c98e6827a99ae00ca9e9fab576c77f88950c36b31a714.webp)
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 23 નવેમ્બરના રોજ રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નાગરિકોની રજૂઆતો-પ્રશ્નો સાંભળશે. આ માટેના પ્રશ્નો અરજદારો પાસેથી સવારે 8-00 વાગ્યેથી બપોરે 12-00 વાગ્યા રુબરૂમાં સ્વીકારવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 23 નવેમ્બરના રોજ બપોરે 3-30 વાગ્યે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક કક્ષ સ્વર્ણિમ સંકુલ-ર ખાતે ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી પ્રજાજનોના પ્રશ્નો-સમસ્યાઓ સાંભળશે અને સંબંધિત સચિવો, અધિકારીઓ, વિભાગોના વડાઓને તેના નિવારણ માટે સૂચનો, માર્ગદર્શન આપશે.