AI એન્જીનિયરના આપઘાતની ઘટનામાં પત્ની,સાસુ સહિત ચાર સામે ફરિયાદ દર્જ

અતુલ સુભાષે 90 મિનિટનો વીડિયો અને 24 પાનાની સ્યૂસાઇડ નોટ મૂકીને આ દુનિયાને અલવિદા કહી દીધું છે.આ અંતિમ ચિઠ્ઠીમાં અતુલે પોતાની પત્ની અને તેના પરિવારજનો પર ઉત્પીડન અને ખોટા કેસ દાખલ કરવાના આરોપ લગાવ્યા છે

New Update
Atul Subhash Suicide

બેંગલુરુની એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરનારા 34 વર્ષીય AI એન્જિનિયર અતુલ સુભાષે પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે.તેઓ ઉત્તર પ્રદેશના વતની હતા.તેમણે 90 મિનિટનો વીડિયો અને 24 પાનાની સ્યૂસાઇડ નોટ મૂકીને આ દુનિયાને અલવિદા કહી દીધું છે.આ અંતિમ ચિઠ્ઠીમાં અતુલે પોતાની પત્ની અને તેના પરિવારજનો પર ઉત્પીડન અને ખોટા કેસ દાખલ કરવાના આરોપ લગાવ્યા છે.અતુલે સ્યુસાઇડ નોટમાં કહ્યું છે કે, “હું પૈસા આપવાનો ઇન્કાર કરું છું અને મોતને પસંદ કરું છું. કારણ કે હું નથી ઇચ્છતો કે મારા પૈસાનો ઉપયોગ મારા વિરોધીઓ દ્વારા મને અને મારા પરિવારને પ્રતાડિત કરવા માટે થાય. જો મને ન્યાય ન મળે તો મારી અસ્થિઓ કોર્ટની બહાર ગટરમાં પધરાવી દેજો.

અતુલ સુભાષે આરોપ લગાવ્યો છે કેતેની પત્નીએ તેના વિરુદ્ધ ઘણા કેસ નોંધાવ્યા છે અને હવે 3 કરોડ રૂપિયાની ડિમાન્ડ કરી રહી છે. અતુલ સુભાષ બેંગલુરુ સિટીમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)માં DGMના પદ પર કાર્યરત હતા. ત્યારે અતુલ સુભાષની આત્મહત્યાથી તેમનો પરિવાર આમ અચાનક પોતાના પુત્ર અને ભાઈના આવા પગલાથી તૂટી ચૂક્યો છે. 

અતુલના પિતા પવન કુમારે કહ્યું કે, “તેણે અમને કહ્યું હતું કે મધ્યસ્થતા કોર્ટમાં જે લોકો છેતેઓ કાયદા અનુસાર કામ નથી કરતાતેમજ સુપ્રીમ કોર્ટના નિયમો અનુસાર પણ નહીં. તેને ઓછામાં ઓછું 40 વખત બેંગલુરુથી જૌનપુર જવું પડ્યું હતું. તેની પત્ની વારંવાર એક બાદ એક આરોપ લગાવતી રહેતી હતી. તે નિરાશ જરૂર થયો પરંતુ તેણે અમને એવું ક્યારેય અનુભવવા નથી દીધું. અમને અચાનક ઘટનાની જાણકારી મળી. અચાનક અમને આ ઘટનાની જાણકારી મળી. તેણે રાત્રે 1 વાગ્યે અમારા નાના દીકરાને મેઈલ મોકલ્યો હતો. દીકરા દ્વારા તેની પત્ની અને તેના પરિવાર વિરુદ્ધ લગાવાયેલા આરોપો 100% સાચા છે. અમે નથી જણાવી શકતા કે અમારો દીકરો કેટલો સ્ટ્રેસમાં હતો.

અતુલે સ્યૂસાઇડ વખતે જે ટીશર્ટ પહેરી હતીતેની પર લખ્યું હતું Justice Is Due. હવે દેશમાં ચર્ચા થઈ રહી છે કે અતુલ સુભાષ મોદીને ન્યાય કોણ અપાવશેકેવી રીતે અપાવશેતેની પહેલાં અતુલે દોઢ કલાકના વીડિયો અને 24 પાનાની સ્યુસાઇડ નોટમાં આપઘાત માટે પત્નીસાસરી પક્ષ અને ન્યાયિક વ્યવસ્થાને જવાબદાર ઠેરવી હતી. તેમના લગ્ન 2019માં થયા હતા. દાવો કરવામાં આવે છે કેલગ્નના બે વર્ષ બાદ પત્નીએ અતુલ સામે દહેજ ઉત્પીડનહત્યાથી લઈને અપ્રાકૃતિક યૌન શોષણ જેવા કેસ નોંધાવ્યા હતા.

 તેમણે આરોપ લગાવ્યો હતો કેપત્નીએ ત્રણ કરોડ રૂપિયા ભથ્થું માંગ્યું. અતુલને પુત્રનો ચહેરો પણ ન જોવા દીધો. પત્નીના પિતાનું લગ્ન બાદ બીમારીથી મોત થયુંપરંતુ સાસરી પક્ષવાળાએ હત્યાની FIR નોંધાવી. અતુલના આરોપો અનુસારફેમિલી કોર્ટમાં જજે કેસ સેટલ કરવા માટે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી. અતુલે દાવો કર્યો કેતેણે 2 વર્ષમાં 120 વખત કોર્ટમાં હાજરી આપવા જવું પડ્યું હતું. તેમણે ત્યાં સુધી આરોપ લગાવી દીધો કેપત્નીએ જજની સામે જ કહી દીધું હતું કે સ્યૂસાઇડ કેમ નથી કરી લેતા અને જજ આ સાંભળીને હસવા લાગ્યા હતા. 

 હવે સવાલ થાય કેશું અતુલે પત્નીસાસરી પક્ષ અને જ્યુડિશિયલ સિસ્ટમ સામે હાર માનીને આત્મહત્યા કરી લીધીઅતુલના જણાવ્યા અનુસારપત્નીએ સાડા ચાર વર્ષના પુત્રને મળવા પણ ન દીધો. પોતાની મોત પહેલા અતુલ તેમના દીકરા માટે કેટલીક ગિફ્ટ છોડીને ગયા છે. તેઓ ઈચ્છતા હતા કે તેમનો દીકરો આ ગિફ્ટ 2038માં 18 વર્ષનો થાય ત્યારે ખોલે. આરોપી સાસરી પક્ષ આ વિવાદમાં અત્યાર સુધી સામે જવાબ આપવા નથી આવ્યો. 

અતુલે સ્યુસાઇડનું મુશ્કેલ પગલું ઉઠાવતા પહેલાં રંબલ પર 80 મિનિટથી વધુનો એક વીડિયો રેકોર્ડ કર્યો હતો. જેમાં તેમણે એ પરિસ્થિતિઓ વિશે જણાવ્યું હતુંજેને લઈને તેઓ આત્મહત્યા કરવા માટે પ્રેરિત થયા હતા. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલા આ વીડિયોમાં સુભાષને એવું કહેતાં સાંભળી શકાય છે કે, “મને લાગે છે કે મારે આત્મહત્યા કરી લેવી જોઈએકારણ કે હું જે પૈસા કમાઈ રહ્યો છુંતેનાથી મારા દુશ્મન વધુ મજબૂત થઈ રહ્યા છે. એ જ પૈસાનો ઉપયોગ મને બરબાદ કરવા માટે થશે અને આ યથાવત રહેશે.” તેમણે આગળ કહ્યું, “મારા ટેક્સથી મળનારા પૈસાથી આ કોર્ટ અને પોલીસ સિસ્ટમ મનેમારા પરિવાર અને અન્ય સારા લોકોને પરેશાન કરશે. જેથી વેલ્યુની સપ્લાય ખતમ થવી જોઈએ. 

પોલીસ અનુસારપ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કેસુભાષ પોતાની પત્ની સાથે વૈવાહિક કલહનો સામનો કરી રહ્યો હતોજેને ઉત્તરપ્રદેશમાં તેની વિરુદ્ધ પણ કેસ નોંધાવ્યો હતો. અધિકારીએ કહ્યું કેતેણે પોતાની સ્યૂસાઇડ નોટ ઘણા લોકોને ઇમેઇલ દ્વારા મોકલી છે અને તેને એક NGOને વોટ્સએપ ગ્રુપમાં શેર કરી છેજેની સાથે તે જોડાયેલો હતો. આ ઉપરાંત પોતાની સ્યુસાઇડ નોટમાં સુભાષે અપીલ કરી કેતેના પુત્રની કસ્ટડી તેના માતા-પિતાને આપી દેવામાં આવે. પત્ની પુત્રને સારો માણસ બનાવી નહીં શકે પરંતુ મારા માતા પિતા અને ભાઈ પુત્રને સારી વેલ્યુ શીખવાડી શકશે. 

મળતી માહિતી અનુસારપોલીસને 9 ડિસેમ્બરે સવારે 6 વાગ્યે એક કોલ આવ્યો હતોજેમાં સ્યૂસાઇડ કરવાની જાણકારી આપવામાં આવી હતી. જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી તો ઘર અંદરથી બંધ હતું. સ્થાનિક લોકોની મદદથી દરવાજો તોડવામાં આવ્યોત્યારે જાણ થઈ કે 34 વર્ષીય અતુલ સુભાષે બેડરૂમમાં લાગેલા સીલિંગ ફેનથી લટકીને ગળાફાંસો ખાઈ લીધો હતો. 

અતુલના આપઘાત બાદ પોલીસ દ્વારા તેની પત્ની,સાસુ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે,અને પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અતુલ મોદીના આપઘાતની ઘટનાએ દેશભરમાં ચકચાર જગાવી છે,ત્યારે દેશની ન્યાય પ્રણાલી પર પર અનેક પ્રશ્નો ઉભા થયા છે.