New Update
/connect-gujarat/media/media_files/2024/11/15/69nJ84PjdLBth1MxglQv.png)
ઝારખંડમાં ચૂંટણી પ્રચાર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેવઘરથી દિલ્હી આવવાનું હતું, પરંતુ PM મોદીના વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે વિમાનને દેવઘર એરપોર્ટ પર જ રોકવું પડ્યું અને PM મોદીને દિલ્હી પરત જવામાં થોડો વિલંબ થયો હતો.
ઝારખંડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે આદિવાસી જનનાયક બિરસા મુંડાના 150માં જયંતિ વર્ષના શુભારંભ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.ત્યાર બાદ PM મોદીએ ઝારખંડના જમુઈ જિલ્લામાં જનસભાને સંબોઘી હતી.અને ચૂંટણી પ્રચાર પૂર્ણ કરીને PM મોદી પાર્ટ દિલ્હી જવાના હતા ત્યારે તેમના વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી.