ઓડિશામાં કોરાઈ રેલ્વે સ્ટેશન પર માલગાડી પાટા પરથી ઉતરી, 3ના મોત.!
ઓડિશામાં સોમવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં જાજપુર જિલ્લાના કોરાઈ સ્ટેશન પર એક માલગાડી પેસેન્જર વેઇટિંગ રૂમ સાથે અથડાઈ હતી.
BY Connect Gujarat Desk21 Nov 2022 3:47 AM GMT
X
Connect Gujarat Desk21 Nov 2022 3:47 AM GMT
ઓડિશામાં સોમવારે સવારે એક મોટો અકસ્માત થયો હતો. અહીં જાજપુર જિલ્લાના કોરાઈ સ્ટેશન પર એક માલગાડી પેસેન્જર વેઇટિંગ રૂમ સાથે અથડાઈ હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. અન્ય ઘણા ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ ઈસ્ટ કોસ્ટ રેલ્વે હેઠળના કોરાઈ સ્ટેશન પર આજે વહેલી સવારે એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. માલગાડી પ્લેટફોર્મ પર બનેલા વેઇટિંગ હોલમાં ઘૂસી ગઈ હતી. આ ઘટના દરમિયાન ત્રણ મુસાફરો તેની સાથે અથડાતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા. અકસ્માતને કારણે બે રેલ્વે લાઈનો બ્લોક થઈ ગઈ હતી. સ્ટેશન બિલ્ડિંગને પણ નુકસાન થયું છે. રાહત ટીમ, રેલવે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.
Next Story