મહારાષ્ટ્રના નાગપુરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા પુત્રએ તેના માતા-પિતાની હત્યા કરી હતી.અભ્યાસ અંગે ઠપકો આપતા પુત્ર હેવાન બન્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહારાષ્ટ્રના નાગપુરના કપિલ નગર વિસ્તારમાં 25 વર્ષીય ઉત્કર્ષ ઢાકોલેએ તેના માતા-પિતાની હત્યા કરી નાખી હતી. પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, એવી શંકા છે કે આરોપી છોકરા અને તેના માતા-પિતા વચ્ચે કરિયર અને અભ્યાસને લઈને કોઈ વિવાદ ચાલી રહ્યો હતો, જેના કારણે તેણે આ પગલું ભર્યું.
પોલીસને આ અંગેની જાણ ત્યારે થઈ જ્યારે ઢાકોલે પરિવારના પડોશીઓએ બુધવારે 26મી ડિસેમ્બરના રોજ દુર્ગંધની ફરિયાદ કરી હતી. મામલો ધ્યાને આવતા જ પોલીસે કાર્યવાહી શરૂ કરી અને તપાસ બાદ ઉત્કર્ષની ધરપકડ કરી હતી. અને કડક પૂછપરછ કરતા આરોપી યુવકે હત્યાની કબૂલાત કરી હતી.
પોલીસે જણાવ્યું કે મૃતદેહો સંપૂર્ણ રીતે સડી ગયા હતા. મૃતકોની ઓળખ લીલાધર ઢાકોલે અને તેમની પત્ની અરુણા તરીકે થઈ છે.પોલીસ સમક્ષ આરોપી ઉત્કર્ષે પોતે સ્વીકાર્યું કે તેણે 26 ડિસેમ્બરની બપોરે તેની માતાનું ગળુ દબાવીને હત્યા કરી હતી. ત્યારબાદ સાંજે 5.00 કલાકે ઘરે પરત આવતા તેણે તેના પિતાને છરીના ઘા મારી હત્યા કરી હતી. આ પછી તેણે મૃતદેહોને ત્યાં છોડી દીધા હતા.
ઉત્કર્ષની માતા શિક્ષિકા હતી અને પિતા પાવર પ્લાન્ટમાં ટેક્નિશિયન હતા અને સામાજિક કાર્યકર પણ હતા. પોલીસ તપાસમાં પ્રાથમિક દ્રષ્ટિએ ખુલાસો થયો કે તેણે તેના શિક્ષણ રેકોર્ડ અને કારકિર્દીની ચિંતાને કારણે તેના માતા-પિતાની હત્યા કરી હતી. ઉત્કર્ષ તેના એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન ઘણા વિષયો પાસ કરી શક્યો ન હતો. તેથી તેના માતાપિતા ઇચ્છતા હતા કે તે આગળ અભ્યાસ કરે, પરંતુ તે તેમના સૂચનને અનુસરવા માંગતો નહોતો. પોલીસે જણાવ્યું કે કેસની તપાસ કર્યા બાદ ઉત્કર્ષની ધરપકડ કરવામાં આવી છે.