ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પુત્ર જીત અદાણી અને દીવા શાહ લગ્નગ્રંથીથી જોડાયા

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી અને દિવા શાહ લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે.

New Update
a

દેશના જાણીતા ઉદ્યોગપતિ અને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીના નાના પુત્ર જીત અદાણી અને દિવા શાહ લગ્નગ્રંથિથી જોડાઈ ગયા છે.

પિતા ગૌતમ અદાણીએ લગ્નના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જીત અદાણીએ અમદાવાદના અદાણી શાંતિગ્રામ ટાઉનશીપ શાંતિગ્રામ ખાતે ગુજરાતી પરંપરાઓ અનુસાર હીરા ઉદ્યોગપતિ જૈમિન શાહની પુત્રી દિવા સાથે લગ્ન કર્યા. પરિવારના સૂત્રોના જણાવ્યા અનુસાર, લગ્ન એક સાદગીપૂર્ણ પ્રસંગ હતો, જેમાં સામાન્ય ધાર્મિક વિધિઓ અને ત્યારબાદ પરંપરાગત ગુજરાતી સમારોહ યોજાયો હતો જેમાં ફક્ત નજીકના સંબંધીઓ અને મિત્રો જ હાજર રહ્યા હતા.
Read the Next Article

મુંબઈમાં વરસાદી આફત, અનેક વિસ્તારો જળમગ્ન, વિક્રોલીમાં ભૂસ્ખલન થતાં 2 લોકોના મોત

મહારાષ્ટ્રના મુંબઈમાં મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. કુર્લા, સાયન સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.

author-image
By Connect Gujarat Desk
New Update
rain

મહારાષ્ટ્રના મુંબઈમાં મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. કુર્લા, સાયન સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી સામાન્ય લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.

Advertisment

હવામાન વિભાગે આફત જેવા વરસાદને ધ્યાનમાં રાખીને રેડ એલર્ટ જારી કર્યું છે. દરમિયાન ભારે વરસાદને કારણે વિક્રોલીમાં ભૂસ્ખલન થયું. જેના કારણે 2 લોકોના મોત થયા. આ અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

માહિતી અનુસાર આ ભૂસ્ખલન મુંબઈના વિક્રોલી (પશ્ચિમ) માં જન કલ્યાણ સોસાયટી, વર્ષા નગર વિક્રોલી પાર્ક સાઇટમાં થયું હતું. બીએમસીએ જણાવ્યું હતું આ ભૂસ્ખલનને કારણે 2 લોકોના મોત થયા છે. જ્યારે 2 અન્ય ઘાયલ થયા છે. ભૂસ્ખલન બાદ, નજીકના લોકો ગભરાઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે શુક્રવારે જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના ચિશોતી ગામમાં પણ ભૂસ્ખલન થયું હતું. જેના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે ઘણા લોકો ફસાયા હતા. હાલમાં, અસરગ્રસ્ત લોકોને બચાવવા માટે વહીવટી તંત્ર, પોલીસ, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) અને અન્ય સુરક્ષા એજન્સીઓના સહયોગથી કામ ચાલી રહ્યું છે.

India | Heavy Rain Fall | Mumbai Rain | monsoon season