ઓવૈસીનું મોદી સરકાર પર નિશાન: કહ્યું, નવ જવાનો શહીદ થયા પણ મોદી સરકાર પાકિસ્તાન સામે ભારતની મેચ રમાડશે

New Update
ઓવૈસીનું મોદી સરકાર પર નિશાન: કહ્યું, નવ જવાનો શહીદ થયા પણ મોદી સરકાર પાકિસ્તાન સામે ભારતની મેચ રમાડશે

હૈદ્રાબાદમાં AIMIMના પ્રમુખ અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધીને કહ્યુ છે કે, પીએમ મોદી ક્યારેય બે બાબતો માટે બોલતા નથી. એક તો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો અને બીજી બાજુ ચીનની ભારતમાં ઘૂસણખોરી. પીએમ મોદી ચીનથી ડરે છે.

ઓવૈસીએ કહ્યુ હતુ કે, મોદીજી તમે ભૂતકાળમાં કહ્યુ હતુ કે, દેશના સૈનિકો મરી રહ્યા છે અને મનમોહનસિંહની સરકાર બિરયાની ખવડાવી રહી છે. હવે આપણા નવ જવાનો મરી ગયા છે અને તમે પાકિસ્તાન સાથે ટી-20 મેચ રમાડો છો. પાકિસ્તાન કાશ્મીરમાં ભારતીયોના જીવ લઈને ભારત સાથે ટી-20 મેચ રમી રહ્યુ છે. ટાર્ગેટ કિલિંગ થઈ રહ્યુ છે. ગરીબ લોકો મોતને ભેટી રહ્યા છે અને કાશ્મીરમાં ગુપ્તચર એજન્સીઓ શું કરી રહી છે તે ખબર નથી. પાકિસ્તાન ખુલ્લેઆમ હથિયારો મોકલી રહ્યુ છે અને ભારત ટી-20 મેચ રમી રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં નિર્દોષ નાગરિકોની આતંકીઓ દ્વારા થઈ રહેલી હત્યાના પગલે દેશમાં પણ માંગ ઉઠી રહી છે કે, ટી 20 વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતે મેચ રદ કરવી જોઈએ. બીજી તરફ બીસીસીઆઈ ઉપાધ્યક્ષ રાજીવ ગુપ્તાએ કહ્યુ છે કે, આઈસીસી સાથેના કમિટમેન્ટના કારણે અમે મેચ રદ કરી શકીએ તેમ નથી.

Read the Next Article

દેશની એકમાત્ર ટ્રેન જેમાં ટિકિટ નથી, મુસાફરો 75 વર્ષથી મફતમાં મુસાફરી કરી રહ્યા છે

ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ જરૂરી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આપણા દેશમાં એક એવી ટ્રેન છે જેમાં મુસાફરો ટિકિટ વિના મુસાફરી કરે છે.

New Update
himachal train

ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ જરૂરી છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આપણા દેશમાં એક એવી ટ્રેન છે જેમાં મુસાફરો ટિકિટ વિના મુસાફરી કરે છે.

ટ્રેનમાં મુસાફરી માટે ટિકિટ જરૂરી છે: ભારતમાં વિશ્વનું સૌથી મોટું રેલ નેટવર્ક છે અને અહીં દરરોજ 13,000થી વધુ ટ્રેનો દોડે છે. જે મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી લઈ જાય છે અને પરંતુ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ટિકિટ હોવી જરૂરી છે. ટિકિટ વિના મુસાફરી કરવાથી ભારે દંડ થઈ શકે છે.

આ અનોખી ટ્રેન ક્યાં ચાલે છે?: ભારતની આ અનોખી ટ્રેનનું નામ ભાખરા-નાંગલ ટ્રેન છે જે તમને ટિકિટ વિના મુસાફરી કરવાની મંજૂરી આપે છે. જેને ઐતિહાસિક વારસો તરીકે ઓળખવામાં આવે છે.

આ ટ્રેન 1948માં શરૂ થઈ હતી અને ત્યારથી તે મુસાફરોને મફત મુસાફરી પૂરી પાડતી રહી છે. આ ટ્રેન હિમાચલ પ્રદેશના ભાખરામાં ચાલે છે.

દરરોજ લગભગ 800 મુસાફરો મુસાફરી કરે છે: ભાખરા-નાંગલ ટ્રેન 1948માં ભાખરા-નાંગલ ડેમના નિર્માણમાં સામેલ મજૂરો અને બાંધકામ સામગ્રીને લાવવા લઈ-જવા માટે શરૂ કરવામાં આવી હતી.

આ ટ્રેન 13 કિમીનું અંતર કાપે છે. આ ટ્રેનમાં દરરોજ લગભગ 800 મુસાફરો મુસાફરી કરે છે. જેમાં સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓનો સમાવેશ થાય છે.

તે હવે એક ઐતિહાસિક વારસો બની ગઈ છે: ભાખરા-નાંગલ ટ્રેન પંજાબના નાંગલ અને હિમાચલ પ્રદેશના ભાખરા વચ્ચે દોડે છે. મજૂરોની સુવિધા માટે શરૂ કરાયેલી આ ટ્રેન આજે માત્ર મુસાફરીનું સાધન જ નથી, પરંતુ એક ઐતિહાસિક વારસો પણ બની ગઈ છે.

આ ટ્રેનની મુસાફરી પ્રવાસીઓ માટે ખાસ છે. દેશમાં મફત મુસાફરી પૂરી પાડતી આ ટ્રેન આજે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. શરૂઆતમાં આ ટ્રેનમાં સ્ટીમ એન્જિન હતા જેને ડીઝલ એન્જિનમાં અપગ્રેડ કરવામાં આવ્યા છે.