જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલો,પ્રવાસીનું નામ પૂછીને મારી ગોળી

બે આતંકવાદી સેનાનાં કપડામાં આવ્યા હતા, પહેલા તેમણે પ્રવાસીને તેનું નામ પૂછ્યું, પછી તેના માથામાં ગોળી મારી દીધી અને ગોળીબાર કરી ફરાર થઈ ગયા..

author-image
By Connect Gujarat Desk
New Update
pahalgam Attack

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં મંગળવારે બપોરે આતંકવાદીઓએ પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો.આ હુમલામાં રાજસ્થાનના એક પ્રવાસીનું મોત થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસારબે આતંકવાદી સેનાનાં કપડામાં આવ્યા હતાપહેલા તેમણે પ્રવાસીને તેનું નામ પૂછ્યુંપછી તેના માથામાં ગોળી મારી દીધી અને ગોળીબાર કરી ફરાર થઈ ગયા હતા.

Advertisment

 

આ ઘટના બૈસરન ઘાટીમાં બની હતીજેમાં 8 લોકો ઘાયલ થયા છે. તેમાના કેટલાક સ્થાનિક પણ છેજોકે ઘાયલોની સંખ્યા 12 છે. ઘાયલોમાં 3 ગુજરાતીઓ હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાવનગરના વિનોદ ભટ્ટમાનિક પટેલરિના પાંડે ઈજાગ્રસ્તોમાં સામેલ છે. ઘાયલોની અને મૃતકોની સંખ્યામાં પણ વધારો થવાની શક્યતા છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. હેલિકોપ્ટર દ્વારા આ વિસ્તાર પર નજર રાખવામાં આવી રહી છે. ઘાયલોની સારવાર હોસ્પિટલમાં ચાલુ છે.

આ ઘટના અંગે પીએમ મોદીએ સાઉદી અરેબિયાથી ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી છે. તેમણે અમિત શાહને યોગ્ય કાર્યવાહી કરવા અને સ્થળની મુલાકાત લેવા જણાવ્યું છે.

પીએમ સાથે વાત કર્યા પછી અમિત શાહે દિલ્હીમાં એક ઈમરજન્સી બેઠક બોલાવી છે. તેમણે 6થી 8 એપ્રિલ દરમિયાન જમ્મુ અને કાશ્મીરની મુલાકાત લીધી હતી.

Advertisment
Latest Stories