/connect-gujarat/media/media_files/gC477kKtp66Y16cBWfTo.jpg)
મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર નરહરી ઝિરવાલેઆજે મંત્રાલયના ત્રીજા માળેથી છલાંગ લગાવી દીધી હતી.જોકે, મંત્રાલયમાંલગાવવામાં આવેલી નેટના કારણે તેમનો જીવ બચી ગયો હતો. જાણવા મળ્યા મુજબઝિરવાલએસટી ક્વોટામાં ધનગર સમુદાયના સમાવેશનો વિરોધ કરી રહ્યા છે. નરહરીઝિરવાલ એનસીપીના અજિત પવાર જૂથના વિધાન સભ્ય છે.
ઝિરવાલેST ક્વોટામાંધનગર સમુદાયને અનામત આપવાના વિરોધમાં મંત્રાલયના ત્રીજા માળેથી કૂદકો માર્યો હતો, જેનેકારણે ભારે અરાજકતા સર્જાઈ ગઈ હતી. જોકે, મંત્રાલયમાં નેટ લગાવી હોવાથી તેઓ નેટપર પડ્યા હતા, જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો.હાલમાં તેઓને મંત્રાલયમાં જ તબીબી પરીક્ષણ માટે રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.