/connect-gujarat/media/media_files/cOVyHAV75XRU0plWlVyC.jpeg)
ભારતનું એક એવું ગામ જેનું પોતાનું બંધારણ અને સંસદ છે સમગ્ર દેશનું તંત્ર ભારતીય બંધારણ અને કાયદાના દાયરામાં આવે છે, પરંતુ ભારતમાં એક એવું ગામ છે, જ્યાં દેશનો કાયદો લાગુ પડતો નથી. આ ગામનું પોતાનું અલગ બંધારણ છે. અહીંના લોકોનું પોતાનું ન્યાયતંત્ર, ધારાસભા અને કારોબારી પણ છે. ગામના લોકોની પોતાની સંસદ છે, જ્યાં સભ્યો તેમના દ્વારા ચૂંટાય છે. આ ગામ કોઈ પાડોશી દેશની સરહદ પર નથી આવતું કે ન તો તે કેન્દ્રશાસિત પ્રદેશમાં આવે છે.
આ ગામ હિમાચલ પ્રદેશમાં આવેલું છે. આ ગામનું નામ મલાણા છે, જે હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાના દૂરના વિસ્તારમાં આવેલું છે. અહીં પહોંચવા માટે કુલ્લુથી 45 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. આ માટે કસોલ અને મલાના હાઈડ્રોઈલેક્ટ્રિક પ્લાન્ટ થઈને મણિકરણ માર્ગે જઈ શકાય છે. અહીં પહોંચવું સરળ નથી. હિમાચલ ટ્રાન્સપોર્ટની માત્ર એક જ બસ આ ગામમાં જાય છે, જે કુલ્લુથી બપોરે 3 વાગ્યે ઉપડે છે. હિમાચલ પ્રદેશના આ ગામની પોતાનું ન્યાયતંત્ર છે.
ગામની પોતાની સંસદ છે, જેમાં બે ગૃહો છે - પહેલું જયોથાંગ (ઉપલું ગૃહ) અને બીજું કનિષ્ઠાંગ (નીચલું ગૃહ) જ્યેષ્ઠાંગમાં કુલ 11 સભ્યો છે, જેમાંથી ત્રણ કારદાર,ગુરુ અને પૂજારી છે,જેઓ કાયમી છે,બાકીના આઠ સભ્યોની પસંદગી ગામમાં મતદાન દ્વારા કરવામાં આવે છે.જુનીય હાઉસમાં ગામના દરેક ઘરમાંથી એક સભ્ય પ્રતિનિધિ હોય છે. અહી સંસદ ભવનના સ્વરૂપમાં એક ઐતિહાસિક ચૌપાલ છે.
જ્યાં તમામ વિવાદનો નિર્ણય લેવામાં આવે છે.ઘણા બધા નિયમોમાં એક નિયમ છે કે બહારથી આવતા લોકો ગામમાં રહી શકતા નથી, પરંતુ તેમ છતાં મુસાફરો મલાણા ગામમાં આવે છે અને ગામની બહાર તંબુ લગાવીને રોકાય છે. ગામના કેટલાક નિયમો તદ્દન વિચિત્ર એક નિયમ એ છે કે બહારથી આવનાર કોઈપણ વ્યક્તિ ગામની બહારની દીવાલને સ્પર્શ કે પાર કરી શકતી નથી. જો તેઓ નિયમોનો ભંગ કરે છે તો તેમને દંડ ભરવો પડી શકે છે.
પ્રવાસીઓને ગામની બહાર તંબુમાં રહેવું પડે છે, જેથી તેઓ ગામની દિવાલને સ્પર્શ પણ કરી શકતા નથી. મલાણા ગામના લોકો કાનાશી નામની ભાષા બોલે છે, જે ખૂબ જ રહસ્યમય છે. તેઓ તેને પવિત્ર ભાષા માને છે. તેની ખાસ વાત એ છે કે આ ભાષા દુનિયામાં બીજે ક્યાંય બોલાતી નથી. એએફપી હાર્કોર્ટ એ ગામની મુલાકાત લેનારા પ્રથમ લોકોમાંના એક હતા.
તેમના પુસ્તક - ધ હિમાલયન ડિસ્ટ્રિક્ટ્સ ઓફ કુલુ, લાહીલ અને - હારકોર્ટે મલાણા વિશે લખતાં કહ્યું કે તે કદાચ સૌથી મોટી જિજ્ઞાસાઓમાંની એક છે, કારણ કે રહેવાસીઓ પોતાને સંપૂર્ણપણે પોતાની જાતને રાખે છે, ન તો લોકો સાથે ખાય છે અને ન તો તેમની સાથે લગ્ન કરે છે. તેઓ બીજા ગામના છે અને એવી ભાષા બોલે છે જે તેમના સિવાય કોઈ સમજી શકતું નથી. તે કહે છે કે મલાણાના લોકોને ન તો ખબર છે કે તેમનું ગામ ક્યારે વસ્યું હતું અને ન તો તેઓ પોતે ક્યાંથી આવ્યા હતા.