ઉત્તરાખંડ : મસુરીની હોટલમાં શોર્ટ સર્કિટના કારણે લાગી ભીષણ આગ, આખી હોટલ બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં.....

ઉત્તરાખંડના મસુરીમાં કેમલ રોડ પર આવેલી એક હોટલમાં ભુષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો.

New Update
ઉત્તરાખંડ : મસુરીની હોટલમાં શોર્ટ સર્કિટના કારણે લાગી ભીષણ આગ, આખી હોટલ બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં.....

ઉત્તરાખંડના મસુરીમાં કેમલ રોડ પર આવેલી એક હોટલમાં ભુષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો હતો. અહી બે વાહનોને બાદ કરતાં સમગ્ર હોટલ બળીને ખાખ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ વાહનો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આગ લાગવા સમયે હોટલમાં કુલ 8 લોકો હજાર હતા. જેને પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. આ હોટેલ પર્વતીય વિસ્તારમાં આવેલી હોવાથી આગની જ્વાળા સમગ્ર વિસ્તારમાં ઉડવા લાગી હતી. સદભાગ્યે આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહત અનુભવી હતી. આ હોટલમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે મોદી રાતે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આગ લાગવાથી તેના ધુમાડાના ગોટે ગોટા સમગ્ર પંથકમાં ફેલાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.  

Read the Next Article

પાકિસ્તાનના કરાચીમાં ફરી ધરતી ધ્રુજી, ભૂકંપના આંચકા અનુભવાયા; જાણો તેની તીવ્રતા

પાકિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. પાકિસ્તાનની આર્થિક રાજધાની કહેવાતા કરાચીમાં ભૂકંપ આવ્યો છે. શનિવારે અહીં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

New Update
Pakistan Earthquake

પાકિસ્તાનમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. પાકિસ્તાનની આર્થિક રાજધાની કહેવાતા કરાચીમાં ભૂકંપ આવ્યો છે. શનિવારે અહીં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

ભૂકંપને કારણે ઓછામાં ઓછા પાંચ વિસ્તારોમાં લોકો ગભરાટમાં પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. લગભગ 15 દિવસ પહેલા કરાચીમાં ઘણી વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

કરાચી હવામાનશાસ્ત્રી કેન્દ્રના મુખ્ય હવામાનશાસ્ત્રી આમિર હૈદરના જણાવ્યા અનુસારશનિવારે આવેલા આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 માપવામાં આવી હતી. ભૂકંપ જમીનની અંદર 38 કિલોમીટર ની ઊંડાઈએ કેન્દ્રિત હતો. હૈદરે કહ્યું કે શહેરના ઓછામાં ઓછા પાંચ વિસ્તારોમાં આ આંચકા નોંધાયા છે. તેમણે કહ્યું કે આ આંચકા લાંધી વિસ્તારમાં એક ઐતિહાસિક સિસ્મિક 'ફોલ્ટ લાઇન'માંથી સિસ્મિક ઉર્જા છોડવાના કારણે અનુભવાઈ રહ્યા છે. તેમણે કહ્યું, "જો આ ઉર્જા એકસાથે છોડવામાં આવે તો મોટો ભૂકંપ આવવાની શક્યતા છેપરંતુ શનિવારે આવું કંઈ બન્યું નથી."

અમીર હૈદરે જણાવ્યું હતું કે 1 જૂનથી કરાચીમાં ઓછામાં ઓછા 21 ઓછી તીવ્રતાના આંચકા અનુભવાયા છેજેની તીવ્રતા 2.1 થી 3.6 ની વચ્ચે રહી છે. તેમણે કહ્યું, "જેમ જેમ આ ફોલ્ટ લાઇન તેની ઉર્જા છોડશેતેમ તેમ ભૂકંપની તીવ્રતા પણ ઘટશે." હૈદરે કહ્યું કે વર્ષ 2009 માં પણ આ જ 'ફોલ્ટલાઇનસક્રિય થઈ હતીજેના કારણે શહેરમાં સતત ભૂકંપ આવતા હતાપરંતુ પછીથી તે શાંત થઈ ગયા.