આ સમયે મારા માટે મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ જ મુશ્કેલ: PM Modi

દેશભરમાં 22 જાન્યુઆરીને લઈને લોકોમાં ઉત્સાહ છે. ભગવાન રામ અયોધ્યામાં તેમના ભવ્ય મહેલમાં નિવાસ કરવા જઈ રહ્યા છે.

New Update
આ સમયે મારા માટે મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ જ મુશ્કેલ: PM Modi

દેશભરમાં 22 જાન્યુઆરીને લઈને લોકોમાં ઉત્સાહ છે. ભગવાન રામ અયોધ્યામાં તેમના ભવ્ય મહેલમાં નિવાસ કરવા જઈ રહ્યા છે. શ્રી રામ માત્ર દેશના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના કરોડો લોકો માટે આદર્શ છે. ભલે ભગવાન રામ અને માતા સીતાના વૈવાહિક જીવનમાં ઘણી અડચણો આવી, આજે પણ જ્યારે આદર્શ જીવનસાથીના ઉદાહરણની વાત આવે છે ત્યારે ઘણા લોકો શ્રી રામનું નામ લે છે. અને આ દિવસને લોકો ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરી રહ્યા છે. ત્યારે રામ મંદિરને લઈને વડાપ્રધાન મોદી ભાવ વિભોર બન્યા છે, અને સતત આજથી 11 દિવસ અનુષ્ઠાન કરશે

અયોધ્યામાં રામ લલ્લાના અભિષેક સમારોહ પહેલા પીએમ મોદીનું ઓડિયો ક્લિપ સામે આવી છે, પીએમએ કહ્યું કે હવે રામ મંદિરના અભિષેક સમારોહમાં માત્ર 11 દિવસ બાકી છે અને હું ભાગ્યશાળી છું કે હું પણ આ શુભ અવસરનો સાક્ષી બનીશ.

પીએમ મોદીએ વધુમાં કહ્યું કે આ સમયે મારા માટે મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવી ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ મેં મારા તરફથી પ્રયાસ કર્યો છે. વડા પ્રધાને કહ્યું કે રામ મંદિરનો અભિષેક મારા માટે ભાવનાત્મક સમય છે. આ સાથે પીએમે કહ્યું કે આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાનના યજ્ઞ માટે વ્યક્તિએ પોતાનામાં દિવ્ય ચેતના જાગૃત કરવી પડે છે. આ માટે ઉપવાસ અને કડક નિયમો નક્કી કરવામાં આવ્યા છે અને હું નાસિકની પંચવટીથી અનુષ્ઠાન કરવા જઈ રહ્યો છું.

Read the Next Article

ભરૂચ : ઝઘડીયાના હરીપુરા નજીક રાજપીપળા તરફ જતી કારનો થયો અકસ્માત,બે લોકોના મોત ત્રણ ઇજાગ્રસ્ત

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા નજીક કારને અકસ્માત નડ્યો, ભરૂચથી રાજપીપળા તરફ જઈ રહેલ ફોરવિલ કાર ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

New Update
MixCollage-27-Jul-2025-08-53-PM-5345

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરીપુરા નજીક કારને અકસ્માત નડ્યો, ભરૂચથી રાજપીપળા તરફ જઈ રહેલ ફોરવિલ કાર ડિવાઈડર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માત સર્જવાનું કારણ ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કે અન્ય કોઈ કારણોસર કાર ડિવાઈડર સાથે અથડાઈ સામેની સાઈડ પર પલ્ટી મારી જતા અકસ્માત સર્જાયો હતો.

કારમાં સવાર બે મહિલાઓના ઘટના સ્થળે મોત થયા છે જ્યારે અન્ય ૩ લોગો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે અવિધા ખાતે સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા.  સરદાર પ્રતિમાને જોડતો માર્ગ ઘણા સમયથી બિસ્માર હોવાના કારણે વારંવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને આ ખરાબ રસ્તો નિર્દોષ લોકોના જીવનો ભોગ લઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા આ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવે તે જરૂરી બને છે.