સુરત : અસલી પોલીસે કરી નકલી પોલીસની ધરપકડ, શખ્સ PI-PSI તરીકે ઓળખ આપી કરતો હતો છેતરપિંડી..!

 સુરત શહેરની સરથાણા પોલીસે ડુપ્લીકેટ વિજિલન્સ પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરી છે. જેમાં રોનક કોઠારી નામના ઇસમે 2 લોકોને છોડાવવા માટે નકલી PSI બની ભલામણ કરી હતી.

New Update
  • શહેરની સરથાણા પોલીસને મળી છે મોટી સફળતા

  • ડુપ્લીકેટ વિજિલન્સ PSIની કરી લેવાય છે ધરપકડ

  • PI, PSI તરીકે ઓળખ આપી કરતો હતો છેતરપિંડી

  • કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવ્યાનું સામે આવ્યું

  • આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય

સુરત શહેરની સરથાણા પોલીસે ડુપ્લીકેટ વિજિલન્સ પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસારસુરત શહેરની સરથાણા પોલીસે ડુપ્લીકેટ વિજિલન્સ પોલીસ સબ ઈન્સ્પેક્ટરની ધરપકડ કરી છે. જેમાં રોનક કોઠારી નામના ઇસમે 2 લોકોને છોડાવવા માટે નકલી PSI બની ભલામણ કરી હતી. વર્ષ 2017થી આ શખ્સ વિજિલન્સનો PI, PSI અને IBના PI તરીકે પણ ઓળખ આપી છેતરપિંડી કરતો હતો. આ શખ્સે 3 જેટલા લોકો પાસેથી કામ કરી આપી ભલામણ કરવા બાબતે રૂપિયા પડાવ્યા હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તો બીજી તરફઆરોપી રોનક કોઠારીએ કેટલા લોકોને ધમકાવી રૂપિયા પડાવ્યા છે કેકેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છેત્યારે હાલ તો સરથાણા પોલીસે આરોપી રોનક કોઠારીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

Read the Next Article

સુરત: પાલમાં પરિણીત યુવકનો ગળે ફાંસો ખાઈને આપઘાત,પત્ની અને પ્રેમીના ત્રાસથી પગલું ભર્યું હોવાનો પરિવારનો આક્ષેપ

આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે..

author-image
By Connect Gujarat Desk
New Update
  • પાલમાં 26 વર્ષીય યુવકનો આપઘાતનો મામલો

  • યુવક રેડીમેડ કાપડની દુકાનમાં કરતો હતો કામ 

  • યુવકની પત્ની અને તેનો પ્રેમી શંકાના દાયરામાં 

  • પરિવારજનોના પત્ની અને પ્રેમી પર ગંભીર આરોપ 

  • પોલીસે પરિવારજનોના આક્ષેપ બાદ શરૂ કરી તપાસ 

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય પરિણીત  યુવક દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી છે.મૃતકના પરિવારજનો દ્વારા દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમીએ મળીને તેને ટોર્ચર કર્યો અને અંતે મોત તરફ દોરી ગયા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે.

સુરતના પાલ વિસ્તારમાં LIG આવાસમાં રહેતા 26 વર્ષીય દીક્ષિત ચૌહાણે ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. જોકે આ સમગ્ર ઘટનામાં મૃતક યુવકના પરિવારજનોએ દીક્ષિતની પત્ની દિવ્યા અને તેના પ્રેમી પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આપઘાતની ઘટના પછી મૃતકની બહેન દ્વારા દિવ્યા અને પ્રેમી સામે આક્ષેપો સાથે પોલીસને નિવેદન આપવામાં આવ્યું છે. પાલ પોલીસે તપાસ શરૂ કરી છે અને પત્ની સહિત સંબંધિત વ્યક્તિઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

દીક્ષિત ચૌહાણ રેડીમેડ કાપડની દુકાનમાં નોકરી કરતો હતો અને તેના ઘરનું ગુજરાન ચલાવતો હતો. જોકેતેની પત્ની દિવ્યા સાથે તેના અવારનવાર ઝઘડા થતા હતા અને ઝઘડામાં દિવ્યા વારંવાર પતિને માર મારતી હતી,અને મારી નાખવાની ધમકી પણ આપતી હતી. આસપાસના લોકો પણ તે બાબતે જાણતા હતા અને તેમના વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પણ પ્રયાસ કર્યો હતો. રાત્રે પત્ની દિવ્યા દ્વારા માર માર્યા બાદ સવારે દીક્ષિત ચૌહાણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ ઘટનાની જાણ થયા બાદ પાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છેજેમાં મૃતકના પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા છે. તેમજ તેની પત્ની અને તેના પ્રેમી અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.