જેતપુર ધોરાજી હાઇવે પરની પધારો હોટલમાં લાગી ભીષણ આગ

New Update
જેતપુર ધોરાજી હાઇવે પરની પધારો હોટલમાં લાગી ભીષણ આગ

જેતપુરમાં ધોરાજી હાઈવે પર આવેલી પધારો રેસ્ટોરન્ટમાં આજે બપોરે ભીષણ આગ લાગી હતી. LPGના બાટલામાં લિકેજ હોવાથી આ આગ લાગી હોવાની હાલમાં તો આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ રેસ્ટોરન્ટ સંપૂર્ણ લાકડાથી બનેલી હતી. સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે આ આગમાં સંપૂર્ણ રેસ્ટોરન્ટ બળીને ખાખ થઈ ગયું છે અને મોટાપાયે નુકાસાન થયું છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Latest Stories