જીતુભાઈ વાઘાણીએ પ્રવાસીઓની વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે માણ્યો “મન કી બાત કાર્યક્રમ”

New Update
જીતુભાઈ વાઘાણીએ પ્રવાસીઓની વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે માણ્યો “મન કી બાત કાર્યક્રમ”

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જુલાઇ મહિનાના અંતિમ રવિવારે મનકી બાત કરી હતી. ત્યારે આ મન કી બાત કાર્યક્રમને ભાજપના ગુજરાત અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી તથા નર્મદા જિલ્લા ભાજપ અધ્યક્ષ ઘનશ્યામભાઈ દેસાઈએ પ્રવાસીઓની વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આ મન કી બાત કાર્યક્રમને માણ્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં ખાસ કરીને વધુ વૃક્ષારોપણની જે વાત કરી તે વાતને પણ જીતુભાઈ વાઘાણી દોહરાવી હતી અને જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની જે વાતો છે તેવા તો પ્રજા સમક્ષ મુકવા માટે દર મહિનાના રવિવારે મનકી વાત કરે છે. ત્યારે હવે આ મન કી બાત અહીં આવતા પ્રવાસીઓ સાંભળી શકે અને સમજી શકે તે માટે દર રવિવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ ખાસ આયોજન હાથ ધરાશે.

તેઓ પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ભાજપના એક કાર્યકરે વાંકાનેર સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટને લાફો માર્યો હતો અને આ એક ભાજપના કાર્યકર અને પૂર્વ પાલિકા પ્રમુખ પણ હતા. તો આ બધું શું છે ત્યારે તેઓએ જણાવ્યું કે આ બાબતે મને ચોક્કસ તો ખબર નથી. પરંતુ વૃદ્ધોને આ રીતે મારો એ યોગ્ય નથી અને એ કાર્યકર હોય કે ગમે તે હોય પરંતુ ભાજપની વિચારધારામાં નથી.

Latest Stories