Connect Gujarat
દેશ

J&K : સુરક્ષાદળોએ ઘૂસણખોરી કરી રહેલા 5 આતંકીઓને કર્યા ઠાર , 1 જવાન શહીદ 

J&K : સુરક્ષાદળોએ ઘૂસણખોરી કરી રહેલા 5 આતંકીઓને કર્યા ઠાર , 1 જવાન શહીદ 
X

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને એક મોટી સફળતા પ્રાપ્ત થઇ છે. સુરક્ષાદળોએ ઘૂસણખોરી કરી રહેલા 5 આતંકીઓને ઠાર કર્યા છે. ઓપરેશનમાં એક જવાન પણ શહીદ થયો છે. ઉત્તર કાશ્મીરના કુપવાડાના તંગધર સેક્ટરમાં સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. જોકે ઓપરેશન હજુ પણ ચાલું છે. ઉલ્લેખનીય છે કે શનિવારે ટંગધાર સેક્ટરમાં કેટલાક આતંકીઓએ ઘૂસણખોરી કરી હતી. અથડામણ શનિવારથી ચાલી રહી છે. રવિવારે સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. બન્નેની ઓળખ સ્થાનિક આતંકી તરીકે થઇ છે.

અગાઉ પાકિસ્તાને આતંકીઓને કવર ફાયરીંગ કરીને ઘૂસણખોરી કરવામાં મદદ કરી હતી. ત્યારબાદ ભારતીય સેનાએ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને આતંકીઓને ધેરી લીધા હતા. લગભગ 48 કલાક બાદ બે આતંકીઓ ઠાર કરાયા હતા. આજે ફરીથી 3 આતંકીઓને ઢેર કરાયા છે.

Next Story