J&K:અનંતનાગ જિલ્લામાં સેના અને આતંકી વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર
BY Connect Gujarat27 Sep 2018 4:12 AM GMT
X
Connect Gujarat27 Sep 2018 4:12 AM GMT
જમ્મુ-કાશ્મીરનાં કેટલાક જિલ્લાઓમાં ગુરૂવારે સવારથી જ સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબાર થઈ રહીયો છે. અનંતનાગ જિલ્લાનાં દૂરૂ શાહબાદમાં એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. સેનાનાં શ્રીનગર શહેરનાં બહારનાં વિસ્તાર નૂરબાગમાં પણ બે આતંકીઓને ઘેરી રાખ્યા છે અને ગોળીબાર ચાલી રહ્યો છે.
જાણવા મળ્યું છે કે, દૂરૂ શાહબાદમાં આતંકીને ઠાર કરાયા બાદ ગોળીબાર બંધ થઈ ગયો છે. જ્યારબાદ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે અનંતનાગ અને નૂરબાગ બંને જગ્યાઓએ ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવમાં આવી છે. આ બે સ્થળો ઉપરાંત બડગામનાં ચદૂરામાં પણ સુરક્ષાકર્મીઓ અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.
Next Story