જુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ

New Update
જુનાગઢ : કોંગ્રેસ અને NSUIના કાર્યકરોનો સી.એલ. કોલેજ બંધ કરાવવાનો પ્રયાસ

બિન સચિવાલય

ભરતી પરીક્ષા મામલે કોંગ્રેસની યુવા અને વિદ્યાર્થી પાંખે આપેલા બંધના એલાનની અસર

જુનાગઢમાં પણ જોવા મળી હતી. આગેવાનો અને કાર્યકરો કોલેજો બંધ કરાવવા નીકળ્યાં હતાં

પણ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.

જુનાગઢ

શહેરની તમામ કોલેજોની બહાર શનિવારના રોજ પોલીસ પહેરો જોવા મળ્યો હતો પણ ન કોલેજમાં

કોઇ પરીક્ષા હતી કે ન કોઇ કાર્યક્રમ. બિન સચિવાલય ભરતી પરીક્ષા મુદ્દે કોંગ્રેસે

આપેલાં બંધના એલાનના પગલે કોલેજોની બહાર લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં

આવ્યો હતો. શનિવારે સવારથી કોલેજોમાં શૈક્ષણિક કાર્ય શરૂ થતાંની સાથે એનએસયુઆઇ અને

યુથ કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો કોલેજો બંધ કરાવવા માટે ગયાં હતાં. તેમણે  સી. એલ. કોલેજ બંધ કરવાનો પ્રયાસ કરતાં

પોલીસે તેમને રોકતાં ઘર્ષણ થયું હતું. તેમણે રાજય સરકાર વિરૂધ્ધ નારા લગાવ્યાં

હતાં. પોલીસે આગેવાનો તથા કાર્યકરોની અટકાયત કરી લેતાં પરિસ્થિતિ રાબેતા મુજબ થઇ

ગઇ હતી.

Read the Next Article

“વિશ્વ વસ્તી દિન” : ભરૂચના આમોદમાં આરોગ્ય કર્મચારીઓએ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો...

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

New Update

આજરોજ ઠેર ઠેર વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાય

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા આયોજન

આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા કાર્યક્રમ યોજાયો

આરોગ્ય કર્મચારીઓ દ્વારા સૂત્રોચાર સાથે રેલી યોજાય

સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો

ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે વિશાળ રેલી યોજી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા-ભરૂચના માર્ગદર્શન હેઠળ આમોદ તાલુકા આરોગ્ય કચેરી દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આમોદ તાલુકા આરોગ્ય કચેરીથી મામલતદાર કચેરી સુધી આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ પ્લેકાર્ડ લખેલા સૂત્રોચાર સાથે વિશાળ રેલી યોજી હતી. જેમાં આમોદ તાલુકાના સમનીઆછોદ તેમજ માતર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ સાથે જ આમોદ તાલુકા આરોગ્ય અધિકારી ડો. કંચનકુમાર સિંગ પણ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓએ હાથમાં વિવિધ સૂત્રો લખેલા પ્લેકાર્ડ બતાવી લોકોને જાગૃત કર્યા  હતા. તેમજ'નાનું કુટુંબસુખી કુટુંબ', 'માઁ બનવાની એ જ ઉંમરજ્યારે શરીર અને મન હોય તૈયારજેવા સૂત્રો પોકારી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો. વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે આમોદ તાલુકા આરોગ્ય અધિકારી કંચનકુમાર સિંગ દ્વારા વસ્તી નિયંત્રણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.