કોવિડ-19 : રાજ્યમાં આજે 1125 નવા કેસ નોધાયા,6 દર્દીઓના મોત

New Update
ગુજરાત રાજ્યમાં આજે કોરોનાના 1075 નવા કેસ નોધાયા, 1155 દર્દીઓ થયા સાજા

ગુજરાત રાજ્યમાં આજે કોવિડ-19ના 1125 નવા પોઝિટવ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે વધુ 6 દર્દીના મોત થયા છે. જ્યારે 1352 દર્દીઓને સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,83,844 પર પહોંચી છે. અને કોરોનાથી કુલ મૃત્યુઆંક 3779 થયો છે. રાજ્યમાં હાલ 12,245 એક્ટિવ કેસ છે, જ્યારે 1,67,820 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 74 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,171 લોકો સ્ટેબલ છે.

રાજ્યમાં આજે 6 દર્દીના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, રાજકોટમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં આજે 1145 નવા નોધાયેલ કેસ પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં 186, સુરત કોર્પોરેશનમાં 144, વડોદરા કોર્પોરેશનમાં 92, રાજકોટ કોર્પોરેશનમાં 86, મહેસાણામાં 70, રાજકોટમાં 48, બનાસકાંઠામાં 41, સુરતમાં 40, પાટણ અને વડોદરામાં 38-38, ગાંધીનગર કોર્પોરેશનમાં 28 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે કુલ 1352 દર્દી સાજા થયા છે, અને 52,973 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 66,25,876 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.28 ટકા છે.