/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/03/maxresdefault-65.jpg)
1971 ના ભારત - પાકિસ્તાન યુદ્ધ સમયે ભુજના હવાઈ મથક પર બોમ્બમારો થયો હતો. તે સમયે ભુજના માધાપર ની 300મહિલાઓએ જીવની પરવા કર્યા વગર ગણતરીના સમયમાં હવાઈ મથકે રન વે તૈયાર કર્યો હતો. આ વિરાંગનાઓ પૈકી હાલમાં 60 મહિલાઓ હયાત છે.
1971 ના ભારત - પાક.ના યુદ્ધમાં ભુજના એરપોર્ટ પર બૉમ્બ મારો થતા પળવારની ચિંતા કર્યા વગર ભુજના માધાપરની 300મહિલાઓએ એકઠા થઈને વિમાન લેન્ડિંગ માટે રાતોરાત હવાઈ પટ્ટી તૈયાર કરી હતી આ વાત યાદ કરીને તેઓ આજે પણ ગર્વ અનુભવે છે.તે વખતે બૉમ્બ વર્ષા અવિરત ચાલુ હોવા છતાં કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના તેઓએ આ કામગીરી કરી હતી.
આ બહેનોની યાદમાં ભુજમાં રક્ષક વનનું નિર્માણ પણ કરાયુ છે.કચ્છની વિરાગનાઓએ દાખવેલી આ સાહસિકતા ઈતિહાસમાં ચિરંજીવ બની ગઈ છે.
જો કે, વારે તહેવારે ફક્ત આ બહેનોને યાદ કરી કહેવાતું સમ્માન કરવા સિવાય સરકાર બીજું કાંઈ કરી શકી નથી.આ 300બહેનોમાંથી હાલ 60 જેટલી બહેનો હયાત છે.યુદ્ધ સમયે તેઓએ કરેલી કામગીરીનું ગૌરવ આજે પણ અનુભવાઈ રહ્યું છે.