New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-59.jpg)
મહીસાગર જિલ્લામાં લુણાવાડા ખાતે તાલુકાનું સૌથી મોટું બસ સ્ટેશન આવેલ છે અને આ બસ સ્ટેશનમાં રોજના હજારો મુસાફરો મુસાફરી કરવા માટે આવતા જતા હોય છે જ્યારે આ બસ સ્ટેશનમાં જ ગંદા પાણીના ખાબોચિયા અને કાદવ કીચડ તેમજ કચરાના ઢગલાઓની ભરમાર જોવા મળે છે.
આ બસ સ્ટેશનમાંથી દરરોજ મુસાફરો મુસાફરી કરવા માટે આવતા હોય તે મુસાફરોમાં રોગચાળાનો ભોગ બનવાની શકયતાઓ રહેલી છે. સરકાર સ્વચ્છતા માટે કરોડો રૂપિયા ખર્ચ કરતી હોવા છતાં લુણાવાડા એસ.ટી.તંત્ર દ્વારા આ ગંદકી દૂર કરાવવા માટે કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા જ નથી. મુસાફરોને ના છુટકે ફરજિયાત આવી ગંદકીમાં રહી મુસાફરી કરવાની ફરજ પડે છે.એ.ટી.તંત્ર દ્વારા તાકીદે આ સાફ સફાઈ કરી બસ સ્ટેશનમાં રહેલી ગંદકી દૂર કરવામાં આવે તેવી માંગ એસ.ટી.માં મુસાફરી કરતા મુસાફરોએ કરી છે.