Connect Gujarat
Featured

મણિપુરમાં આર્મી પર હુમલો, 3 જવાન થયા શહીદ, 6ની હાલત ગંભીર

મણિપુરમાં આર્મી પર હુમલો, 3 જવાન થયા શહીદ, 6ની હાલત ગંભીર
X

મણિપુરમાં આર્મીની એક ટીમ પર ઘાતક હુમલો કરવામાં આવ્યો છે જેમાં 3 જવાન શહીદ થઈ ગયા છે અને 6ની હાલત ગંભીર હોવાના અહેવાલ છે. પીપલ્સ લિબરેશન આર્મીના આતંકવાદીઓએ ઘાત લગાવીને કરેલા હુમલામાં 4 આસામ રાઇફલ્સ યૂનિટના ત્રણ જવાન શહીદ થયા.

સમાચાર એજન્સી મુજબ મ્યાનમારની સરહદની પસો ચંદેલમાં સ્થાનિક સમૂહ પીપલ્સ લિબરેશન આર્મીના આતંકવાદીઓએ ઘાત લગાવીને કરેલા હુમલામાં 4 આસામ રાઇફલ્સ યૂનિટના ત્રણ જવાન શહીદ થયા છે અને ચાર ઘાયલ થયા છે. સમાચાર એજન્સી અનુસાર આતંકવાદીઓએ પહેલા IED બ્લાસ્ટ કર્યો અને પછી સૈનિકો પર ફાયરિંગ કર્યું. ઇમ્ફાલથી 100 કિલોમીટર દૂર આ ક્ષેત્રમાં રિઇન્ફોર્સમેન્ટ મોકલવામાં આવી છે.

Next Story