કોરોના સામેની જંગમાં મોરબી સીમ્પોલો ગ્રુપે રૂપિયા 50 લાખની કરી મદદ
BY Connect Gujarat2 April 2020 11:39 AM GMT
X
Connect Gujarat2 April 2020 11:39 AM GMT
કોરોના સામેના જંગમાં ઉદ્યોગપતિઓનો સહયોગ માટે સામે આવ્યા છે. ત્યારે મોરબી સીમ્પોલો ગ્રુપે પણ રૂપિયા 50 લાખની મદદ કરી છે. કોરોના લોકડાઉન સાથે સરકાર અને તંત્ર કોરોના સામેનો જંગ જીતવા મથામણ કરી રહ્યા છે, ત્યારે ઓદ્યોગિક નગરી મોરબીના ઉદ્યોગપતિઓ સરકારની પડખે ઉભા રહીને આર્થિક મદદ સાથે નૈતિક હિમત સરકારને પૂરી પાડી રહ્યા છે.
મોરબીના સીમ્પોલો ગ્રુપના જીતેન્દ્રભાઈ અઘારા દ્વારા કોરોના સામેના જંગમાં લડત માટે રૂપિયા 50 લાખની આર્થિક મદદ આપી છે. કુલ ૫૦ લાખની રકમ તેમણે પીએમ અને સીએમ કેર ફંડમાં આપી છે અને કોરોના સામેની ફાઈટમાં મોરબીના ઉદ્યોગપતિઓનું સતત યોગદાન મળી રહ્યું છે.
Next Story