Connect Gujarat
દેશ

ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીનું જન્મદિવસે જ થયું નિધન

ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીનું જન્મદિવસે જ થયું નિધન
X

નારયણ દત્ત તિવારી કેન્દ્રમાં નાણાં, વિદેશ, ઉદ્યોગ, શ્રામ જેવા ખાતા પણ સંભાળી ચુકયા

ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી રહી ચુકેલા નારયણ દત્ત તિવારીનું 93 વર્ષની વયે નિધન થયું હતું. દિલ્હીની મેકસ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એનડી તિવારીનું નિધન તેમના જન્મ દિવસે જ થતા રાજકીય પાર્ટીઓમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. નારાયણ દત્ત દેશના પહેલા એવા રાજનીતિજ્ઞ હતાં જેમને બે-બે રાજયના મુખ્યમંત્રી બન્યા હોવાનું ગૌરવ પ્રાપ્ત થયું હતું.

એનડી તિવારી કેન્દ્રમાં નાણાં, વિદેશ, ઉદ્યોગ, શ્રામ જેવા મહત્વના ખાતા પણ સંભાળી ચુકયા છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે તિવારીના નિધનથી શોક વ્યકત કર્યો હતો અને ટવીટ કર્યુ કે, “ ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીથી પંડિત નારાયણ દત્ત તિવારીના નિધન પર દુઃખ વ્યકત કરું છે અને ઈશ્વર સમક્ષ તેમની આત્માને શાંતિ અર્પે તેવી પ્રાથના કરૂ છું. ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી રહી ચુકેલા એન.ડી.તિવારીના નિધનથી બંન્ને રાજયોની પ્રજામાં ઘેરા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે.

Next Story