Connect Gujarat
નવરાત્રી સંસ્કૃતિ

નવરાત્રી વિશેષ: ભરૂચના ઓસારાનું વિશ્વશાંતિ મહાકાળી મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર,જુઓ શું છે મંદિરનું મહત્વ

ભરૂચના ઓસારા ગામે વિશ્વશાંતિ મહાકાળી માતાનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

X

ભરૂચના ઓસારા ગામે વિશ્વશાંતિ મહાકાળી માતાનું મંદિર ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આમ તો સામાન્ય દિવસોમાં મંદિર માત્ર મંગળવારના રોજ જ ખુલે છે પરંતુ હાલ નવરાત્રીના નવ દિવસ મંદિર ખુલ્લુ રહેશે ત્યારે માતાજીનાં દર્શનાર્થે મોટી સંખ્યામા ભાવિક ભક્તો ઉમટી રહ્યા છે.


ભરૂચ શહેરથી અંદાજીત 7 કિલોમીટરનાં અંતરે આવેલું ઓસારા ગામનું વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ભક્તો માટે આસ્થાનું સ્થાનક છે. અહીંયા શ્રદ્ધાળુઓ દૂર દૂરથી પદયાત્રા કરીને પણ આવે છે. કહેવાય છે કે, દર મંગળવારે પાવાગઢથી મહાકાળી માતાજી ઓસારા પધારે છે, તેવી લોક માન્યતા છે. જે ભક્તો મહાકાળી માતામાં શ્રદ્ધા રાખીને દર્શન અર્થે આવે છે તેમની મનોકામના માતાજી પૂર્ણ કરે છે, અને દુખીથાઓનાં દુઃખ માતાજીના દર્શન માત્રથી દૂર થતા હોવાની શ્રદ્ધા ભક્તોમાં જોવા મળે છે. આ ઉપરાંત મંગળવારનું વ્રત કરીને પણ શ્રદ્ધાળુઓ માતાજીની ભક્તિમાં લિન બને છે. તેથી મંગળવારના રોજ માતાજીના દર્શન અર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે, ત્યારે આજે મંગળવાર અને નવરાત્રીનું પાવન પર્વ હોવાથી દૂર દૂરથી ભક્તો ઉમટી પડ્યા હતા અને માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી હતી.

Next Story