New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-42.jpg)
૧૯૩૦ની છઠ્ઠી એપ્રિલે મહાત્મા ગાંધીજીએ નવસારીના દાંડીગામે આવીને અંગ્રેજોએ લગાવેલ મીઠાના કર નો સવિનય કાનૂન ભંગ કર્યો હતો. તેવા દિવસે મોટા નેતાઓ દર વર્ષે દાંડી ગામે આવીને બાપુને સુતરની આંટીઓ પેહરવાતાં હોય છે પરંતુ હાલ ચૂંટણીના માહોલને લઈને મોટા નેતાઓ પ્રચાર તરફ ધ્યાન બાપુના મહત્વ કરતા વધુ સમજતા મોટા નેતાઓની પાંખી હાજરી હતી એટલે મતદારોને મનાવવા માટે સમય મળી શક્યો પરંતુ ઐતિહાસિક અને આઝાદીના પ્રવેશ દ્વાર ને ભુલાવો પડ્યો હતો. જોકે સેવાદળના મુંબઈના પ્રભારી અને સ્થાનિક નેતાઓએ પદયાત્રાઓ શોભાવી હતી.