દિલ્હી: કોરોનાના કહેર વચ્ચે નીટની પરીક્ષા પણ સ્થગિત, નવી તારીખ કરાશે જાહેર

New Update
દિલ્હી: કોરોનાના કહેર વચ્ચે નીટની પરીક્ષા પણ સ્થગિત, નવી તારીખ કરાશે જાહેર

દેશભરમાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણ વચ્ચે 18 એપ્રિલે યોજાનારી નીટ પરીક્ષાને સ્થિગત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને ગુરુવારે સાંજે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે કોરોના સંક્રમણની સ્થિતિ જોતા આ પરીક્ષાની નવી તારીખોની જાહેરાત કરવામાં આવશે. આ પરીક્ષામાં આશરે 1.7 લાખ વિદ્યાર્થી સામેલ થવાના હતા.

દેશભરમાં કોરોનાના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે અને ત્યારે આ પરીક્ષા ઓફલાઈન યોજાવાની હતી. ઘણા લોકો વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને ચિંતિત હતા. જેને જોતા કેંદ્ર સરકારે આ નિર્ણય કર્યો છે.

Read the Next Article

ભરૂચ: સ્તંભેશ્વર મહાદેવ પર 225 ભક્તોએ કર્યો જળાભિષેક, પાદરાથી 53 કી.મી.નું અંતર પગપાળા કાપી પહોંચ્યા કંબોઈ

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું

New Update

જીવનો શિવ સાથે મિલન કરાવતો પવિત્ર શ્રાવણ માસ

ભક્તો મહાદેવની ભક્તિમાં બન્યા લીન

પાદરાથી કાવડયાત્રાનું કરાયુ આયોજન

53 કી.મી.નું અંતર કાપી પહોંચ્યા કંબોઈ

મહાદેવ પર જળાભિષેક કરાયો

ભરૂચના જંબુસર સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષે કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરાના પાદરાથી 225 જેટલા ભક્તોએ 53 કી.મી.નું અંતર પગપાળા કાપી શિવજી પર જળાભિષેક કર્યો હતો
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભક્તિભર્યો માહોલ જોવા મળ્યો હતો જ્યારે ભરૂચના જંબુસર તાલુકામાં આવેલ કંબોઈ સ્થિત સ્તંભેશ્વર મહાદેવ મંદિર ખાતે માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રીજા વર્ષ પણ કાવડ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ વર્ષે કાવડ યાત્રાનો પ્રારંભ પાદરાથી કરવામાં આવ્યો હતો. કુલ 225 ભક્તોએ લગભગ 53 કિલોમીટરનું અંતર કાપીને ડી.જે.ના ભક્તિમય સંગીત અને બમ બમ ભોલે ના નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. યાત્રાના અંતે કાવડિયાઓ કલકત્તાની હુબલી નદીનું ગંગાજળ લાવીને સ્તંભેશ્વર મહાદેવના પાવન શિવલિંગ પર અભિષેક કર્યો હતો.