નવસારી : 125 વર્ષ જૂના મોટા બજાર વિસ્તારમાં મનપાની કાર્યવાહી, ડિમોલેશન ન કરવા વેપારીઓની માંગ...

પાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ શહેરના કેટલાક વિસ્તારોમાં માપણી કરવા માટે પહોચ્યા હતા. જેના કારણે સ્થાનિક વેપારીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો

New Update
  • મોટા બજાર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી

  • ડિમોલેશન કરવાની કામગીરી સામે વેપારીઓમાં આક્રોશ

  • વેપારીઓએ પાલિકા કચેરીએ કરી અધિકારીને રજૂઆત

  • બજારમાં ટ્રાફિક સમસ્યાનું કોઈપણ ભારણ નહીં : વેપારી

  • ડિમોલેશનથી મોટાભાગના વેપારીની રોજી પર અસર થશે 

નવસારી શહેરના મોટા બજાર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશન કરવાની કામગીરી સામે સ્થાનિક વેપારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો હતો. નવસારી મહાનગરપાલિકાના દ્વારા ગેરકાયદેસરના દબાણો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. અંદાજે 125 વર્ષ જૂના મોટા બજાર વિસ્તારમાં મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા ડિમોલેશન કરવાની કામગીરી ચાલી રહી છેત્યારે પાલિકાના અધિકારીઓ તેમજ કર્મચારીઓ શહેરના કેટલાક વિસ્તારોમાં માપણી કરવા માટે પહોચ્યા હતા. જેના કારણે સ્થાનિક વેપારીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો.

સમગ્ર મામલે મોટા બજારના વેપારીઓ મહાનગરપાલિકા કચેરીએ પાલિકા કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતાજ્યાં બજારમાં દુકાનનું ડિમોલેશન ન કરવા માટે દુકાનદારો સહિત વેપારીઓએ માંગ કરી હતી. ખાસ કરીને મોટા બજારમાં રહેણાક વિસ્તાર સહિત અનેક વેપારીઓની દુકાનો આવેલી છે. જોકેબજારમાં ટ્રાફિકની સમસ્યાનું કોઈ પણ ભારણ ન હોવાની વાત પણ વેપારી મંડળે કરી હતી. જો દુકાનનું ડિમોલેશન થશે તો મોટાભાગના વેપારીઓની રોજી પણ અસર થશેત્યારે વેપારીઓએ કરેલી રજૂઆત બાદ નવસારી મહાનગરપાલિકા ડિમોલેશન બાબતે કેવો નિર્ણય લે છેતે હવે જોવું રહ્યું.

Read the Next Article

તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

New Update
Pakistan Earthquake

ગીર સોમનાથથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આજે તાલાલા સહિત સમગ્ર ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. પ્રાથમિક વિગતો મુજબ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 2.2 નોંધાઈ હતી.

આ તરફ ભૂકંપનું એપી સેન્ટર તાલાલાથી 11 કિલોમીટર દૂર ઈસ્ટ-નોર્થ-ઈસ્ટ દિશામાં નોંધાયું છે. વિગતો મુજબ ભૂકંપનો આંચકો જમીનમાં 6 કિલોમીટરની ઊંડાઈએથી ઉદ્ભવ્યો હતો. જોકે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

  • ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
  • વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
  • ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
  • ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
  • ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
  • ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
  • ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
  • દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.