બોલિવૂડના જાણીતા કોમેડિયન રઝાક ખાનનું નિધન
BY Connect Gujarat1 Jun 2016 9:15 AM GMT
X
Connect Gujarat1 Jun 2016 9:15 AM GMT
બોલિવૂડના જાણીતા કોમેડિયન રઝાક ખાનનું હ્રદયરોગના હુમલાના કારણે નિધન થઇ ગયું છે. તેઓ શાહરૂખ ખાનની ફિલ્મ 'બાદશાહ'માં મનિકચંદના પાત્રથી જાણીતા બન્યા હતા.
તેમને 12:30 વાગ્યે હ્રદયરોગનો ગંભીર હુમલો આવ્યો હતો. તેથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
રઝાક ખાને 'ઇશ્ક', 'હેલો બ્રધર', 'જોરૂ કા ગુલામ', 'ક્યા કુલ હૈ હમ', 'હેરાફેરી' વગેરે જેવી હીટ ફિલ્મોમાં કામ કર્યું હતું.
કોમેડિયન રઝાક ખાને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત 1993માં ફિલ્મ 'રૂપકી રાની ચોરો કા રાજા' દ્વારા કરી હતી. તેમણે 90 કરતા વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેઓ 2014માં કપિલ શર્માના શો 'ધ કોમેડી નાઇટસ વિથ કપિલ'માં પણ દેખાયા હતા.
Next Story