રાજકોટ : કોંગ્રેસના બળવાખોર સભ્યોમાં પડયાં ફાંટા, કારોબારી સમિતિના ચેરપર્સનનું રાજીનામું

New Update
રાજકોટ : કોંગ્રેસના બળવાખોર સભ્યોમાં પડયાં ફાંટા, કારોબારી સમિતિના ચેરપર્સનનું રાજીનામું

કોંગ્રેસ

શાસિત રાજકોટ જિલ્લા પંચાયત ફરી એક વખત વિવાદમાં આવી છે. આજે જિલ્લા પંચાયતમાં

કારોબારી બેઠક મળે તે પહેલાં જ  કારોબારી સમિતિના ચેરપર્સન રેખાબેન પટોળીયાએ રાજીનામું ધરી દેતા

કોંગ્રેસમાંથી ભાજપમાં ભળનાર રેખાબેન સહિત બળવાખોર જૂથમાં હવે ફાંટા પડ્યા હોવાની

ચર્ચા ચાલી રહી છે. 

રાજકોટ જિલ્લા પંચાયતની કારોબારી સમિતિના સભ્યોએ ચેરપર્સન સામે અવિશ્વાસની દરખાસ્ત મુકવાની જાહેરાત કરી હતી. સમિતિના 9 સભ્યોમાંથી 6 સભ્યોએ ચેરપર્સન વિરૂધ્ધ મોરચો ખોલ્યો હતો. સોમવારના રોજ સમિતિની બેઠક મળે તે પહેલાં જ રેખાબેને રાજીનામું ધરી દીધું હતું. પરંતુ પ્રમુખ દ્વારા હજુ સુધી રાજીનામાનો સ્વિકાર કરવામાં આવ્યો નથી. કોંગ્રેસના આગેવાન અર્જુન ખાખરીયા જણાવ્યું હતું કે કોંગ્રેસને આ બાબતે કાંઈ લેવાદેવા નથી બાગી સભ્યોને કોંગ્રેસ પહેલા જ સસ્પેન્ડ કરી ચૂકી છે ત્યારે બાગી સભ્યો ની અંદરોઅંદર ની લડાઈના કારણે રેખાબેનને રાજીનામું આપવાની ફરજ પડી છે.

બળવાખોર  જૂથના આગેવાન કેપી પાદરીયા એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કારોબારી સમિતિમાં સંકલનના અભાવે અને કામ ન થતાં હોવાના કારણે અમે છ સભ્યોએ સાથે મળી રેખાબેન પટોડીયા સામે અવિશ્વાસની દરખાસ્ત મૂકી છે છ સભ્યો માંથી કોઇપણ કારોબારી ચેરમેન બની શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલાં જ કે.પી. પાદરીયા સામે સોલાર કૌભાંડમાં કોન્ટ્રાક્ટર સાથે મીલીભગતને લઈને એસીબીમાં લાંચ નો કેસ થયો હતો ત્યારે હવે જિલ્લા પંચાયતમાં બાગી સભ્યોમાંથી નવા ચેરમેન કોણ બનશે તે એક મોટો પ્રશ્ન છે

Read the Next Article

ગુજરાત સરકારનો વધુ એક હિતલક્ષી નિર્ણય, વિઝીટીંગ તજજ્ઞ ડોકટરોના માનદ વેતનમાં કરાયો વધારો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો,

New Update
vrd bh

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

જે અંતર્ગત રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા વિઝીટીંગ તજજ્ઞ-Specialist ડોકટરોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે. 

આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા તમામ પ્રકારના ખાનગી વિઝીટીંગ તજજ્ઞ-Specialist ડોકટરોને સી.એમ.સેતુ યોજના અંતર્ગત રોજના લઘુત્તમ ૩ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 4,200 માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ પીડીયાટ્રીશીયન અને જનરલ ફીઝિશીયનને પ્રતિ દિન રૂ. 3 હજાર અને તે સિવાયના અન્ય તજજ્ઞ ડોક્ટર્સને પ્રતિ દિન રૂ. 2 હજાર માનદ વેતન આપવામાં આવતું હતું. 

રાજ્યની સરકારી મેડિકલ કોલેજો, જી.એમ.ઇ.આર.એસ. સંચાલિત મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા વિઝીટીંગ નોન સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટને 3 કલાકની ફરજિયાત સેવા બાદ રોજના રૂ. 8,500 અને સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટ તબીબોને રૂ. 2,700 આપવામાં આવતા હતા, જેમાં સુધારો કરીને સર્જિકલ અને નોન સર્જિકલ સુપર સ્પેશ્યાલિસ્ટને રોજના લઘુતમ ત્રણ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 8,500 મુજબ માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.