પીએમ મોદી ફરી આવશે રાજકોટ,૫૪૦૦ કરોડના વિકાસ કાર્યોનું આપશે ભેટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કેન્દ્રના અનેક દિગ્ગજ નેતાઓ સતત રાજ્યમાં અવર જવર કરી રહ્યાં છે.

New Update
પીએમ મોદી ફરી આવશે રાજકોટ,૫૪૦૦ કરોડના વિકાસ કાર્યોનું આપશે ભેટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કેન્દ્રના અનેક દિગ્ગજ નેતાઓ સતત રાજ્યમાં અવર જવર કરી રહ્યાં છે. જેમાં PM મોદીથી માંડીને અમિત શાહ, જે.પી નડ્ડા, અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન સહિત અનેક નેતાઓ ના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. ત્યારે છેલ્લા 3 દિવસથી PM મોદી ગુજરાતની મુલાકાતે છે. જેમાં આજે PM મોદીના ગુજરાત પ્રવાસનો છેલ્લો દિવસ છે. ત્યારે વધુ એક વખત પીએમ મોદી ગુજરાત આવશે.

Advertisment W3.CSS

PM મોદી ફરી વાર 19 ઓક્ટોબરના રોજ રાજકોટના પ્રવાસે આવશે.19 ઓક્ટોબર રાજકોટમાં PM મોદી નો રોડ શો યોજાશે.રાજકોટ એરપોર્ટ થી રેસકોર્સ સુધી PM મોદીનો રોડ શો યોજાશે. તદુપરાંત PM મોદી રાજકોટવાસીઓને મોટી ભેટ પણ આપશે.PM મોદી રાજકોટમાં રૂ.5400 કરોડના વિકાસ કાર્યો નું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે. ત્યારે PM મોદીના કાર્યક્રમને લઈને રાજકોટમાં તડામાર તૈયારીઓ પણ શરૂ કરી દેવાઇ છે.તમને જણાવી દઇએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 19 ઓક્ટોબરના રાજકોટના કાર્યક્રમને લઇને ગઇકાલે રાજ્યમંત્રી અરવિંદ રૈયાણીના અધ્યક્ષ સ્થાને બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ 100થી વધુ સંગઠનો સાથે વડાપ્રધાનના કાર્યક્રમને સફળ બનાવવા સૌએ એક ટીમ તરીકે કામ કરવા મંત્રી રૈયાણીને અપીલ કરી હતી. તેમજ 19મીએ રાજકોટ એરપોર્ટ થી રેસકોર્સ સુધી PMના ભવ્ય રોડ-શોના આયોજન અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી.