રાજકોટ : શાળામાં 4 વર્ષીય બાળકી સાથે જઘન્ય કૃત્ય કરનાર શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ, શાળાએ આક્ષેપો નકાર્યા...

માત્ર 4 વર્ષની બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં બોલપેન અથવા એવી કોઈ વસ્તુ વડે શિક્ષિકાએ ઇજા પહોચાડી હોવાનો વાલીએ આક્ષેપ કર્યો છે, ત્યારે ફરિયાદના આધારે પ્રદ્યુમ્નનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

New Update
  • કર્ણાવતી સ્કૂલની શિક્ષિકા દ્વારા બાળકી સાથે કરાયું જઘન્ય કૃત્ય

  • 4 વર્ષની વિદ્યાર્થીનીના ગુપ્ત ભાગે ઇજા પહોચાડવાનો મામલો

  • શિક્ષકા વિરુદ્ધ પ્રદ્યુમ્નનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય

  • શિક્ષિકા નિર્દોષ હોવા અંગેનું શાળાના મેનેજિંગ ટ્રસ્ટીનું નિવેદન

  • પોક્સો તેમજ એટ્રોસિટી કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી

રાજકોટ શહેરમાં સમગ્ર શિક્ષણજગતને લાંછન લગાવતી ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. માત્ર 4 વર્ષની બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં બોલપેન અથવા એવી કોઈ વસ્તુ વડે શિક્ષિકાએ ઇજા પહોચાડી હોવાનો વાલીએ આક્ષેપ કર્યો છેત્યારે ફરિયાદના આધારે પ્રદ્યુમ્નનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાં 4 વર્ષની બાળકીના ગુપ્તાંગના ભાગે ઇજા પહોંચાડવા મામલે પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના મિત્તલબેન નામના શિક્ષિકા વિરુદ્ધ બાળકીની માતા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ઇજા પહોંચાડવીપોક્સો તેમજ એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બાળકીને ગુપ્તાંગના ભાગે પેન વડે અથવા કોઈ અન્ય રીતે આંતરિક ઇજા પહોંચાડવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છેજ્યારે પરિવારના આ આક્ષેપોને શિક્ષિકાએ ખોટા ગણાવ્યા હતા. તો શાળાએ પણ 11 એપ્રિલના ક્લાસરૂમમાં CCTV ફૂટેજ જાહેર કર્યા છેજેમાં આવી કોઈ ઘટના ન બની હોવાની વાત કરી તમામ આક્ષેપોને નકારવામાં આવ્યા છે.

રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા યુવાનની 4 વર્ષની દીકરીનું ગત વર્ષ જૂન મહિનામાં રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં કેજી નર્સરીમાં એડમિશન લેવા નિર્ણય કર્યો હતોઅને અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ શરૂ કરાવ્યો હતો. દરમિયાન ગત 11 એપ્રિલ2025ના રોજ બાળકી સ્કૂલથી ઘરે આવી ત્યારે પોતાની માતાને જણાવ્યું હતું કેમને ગુપ્તાંગની જગ્યાએ દુખે છેજેથી ગરમીના કારણે બળતરા થતી હશેએમ વિચારી માતાએ કાંઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું. બીજા દિવસે ફરી સ્કૂલથી આવી બાળકીએ ખૂબ દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતીજેથી માતાને કંઈક અજુગતું અને વહેમ જતાં તરત બાળકીના પિતાને જાણ કરીઆ દંપતી નજીકની ખાનગી હોસ્પિટલમાં બાળકીને લઈ ગયા હતાં.

બાળકીને તેની સ્કૂલમાં સાથે ભણતા અન્ય વિદ્યાર્થીઓટીચરશિક્ષકસ્ટાફના ફોટા બતાવી કોણે તેને ગુપ્તાંગમાં ઇજા પહોંચાડી પૂછતાં બાળકીએ એક ટીચરના ફોટા પર હાથ મુક્યો હતો. ખાનગી હોસ્પિટલમાં સારવાર બાદ બાળકીને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડતાં છેલ્લા 2 દિવસથી જનાના હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર મામલે પ્રદ્યુમ્નનગર પોલીસે બાળકીની માતાની ફરિયાદ પરથી સ્કૂલના શિક્ષિકા વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

ભીની આંખો સાથે વિદાય... વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે રાજકોટના રસ્તાઓ પર ભીડ ઉમટી પડી

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ થયા

New Update
VIJAY RUPANI Last Rites

ભાજપના વરિષ્ઠ નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની અંતિમ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રામાં ઘણા ભાજપના નેતાઓ અને કાર્યકરો સામેલ છે. અંતિમ યાત્રા પહેલા વિજય રૂપાણીના પત્ની અંજલી રૂપાણીએ ભીની આંખો સાથે તેમને પુષ્પાંજલિ અર્પણ કરીને વિદાય આપી.

VIJAY RUPANI ANTIM YATRA

આ દરમિયાન, રૂપાણીના પત્ની ખૂબ જ ભાવુક થઈ ગયા અને પોતાના પુત્રને ગળે લગાવીને રડી પડ્યા. 12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઇટ ટેકઓફ થયાના થોડા સમય પછી ક્રેશ થઈ ગઈ. આ ભયાનક અકસ્માતમાં 241 લોકોના મોત થયા. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી રૂપાણી પણ એ જ વિમાનમાં સવાર હતા.

રૂપાણી પરિવાર પાર્થિવદેહ લઈ પહોંચતાં રાજકોટ હીબકે ચડ્યું:-

રવિવારે, ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે વિજય રૂપાણીનો ડીએનએ સવારે 11:10 વાગ્યે મેચ થયો હતો અને તેમના પરિવારને તેના વિશે જાણ કરવામાં આવી છે. ભૂતપૂર્વ મુખ્યમંત્રીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે, તેથી સરળ જાહેર પરિવહન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.

વિજય રૂપાણીનો નશ્વરદેહ રાજકોટ પહોંચ્યો ત્યારનો વિડિયો:-