Connect Gujarat
રાજકોટ 

રાજકોટ:માધાપર ચોકડી પાસે ટ્રકના તોતિંગ પૈડાં ફરી વળતા 2 સગા ભાઇઓના મોત

બંને ભાઈનાં અકાળે મોતથી 8 માસ અને અઢી વર્ષની પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

રાજકોટ:માધાપર ચોકડી પાસે ટ્રકના તોતિંગ પૈડાં ફરી વળતા 2 સગા ભાઇઓના મોત
X

રાજકોટની માધાપર ચોકડી નજીક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવતા ટ્રકે બાઇકને અડફેટે લીધું હતું. જેને પગલે બાઈક પર સવાર બે ભાઈ ફૂટબોલની માફક ફંગોળાયા હતા. જેમાં એક ભાઈનું તો ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે બીજાએ સારવાર દરમિયાન જીવ ગુમાવતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. બંને ભાઈનાં અકાળે મોતથી 8 માસ અને અઢી વર્ષની પુત્રીઓએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.

હાલ પોલીસે બંનેની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ટ્રકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ આજે સવારે 11 વાગ્યા આસપાસ 150 ફૂટ રિંગ પર અયોધ્યાચોકથી આગળ માધાપર ચોકડી નજીક પૂરપાટ ઝડપે બેદરકારીપૂર્વક આવી રહેલા ટ્રકે બાઈક સવાર જીતેન્દ્ર ઉર્ફે જીત નીતિનભાઇ નારીગરા અને તેના મોટાભાઇ ભાવેશભાઇ નીતિનભાઇ નારીગરાને અડફેટે લેતા બંને ભાઇઓ બાઇક સહિત ફૂટબોલની જેમ ફંગોળાઇ ગયા હતા. જેમાં જીતને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.

Next Story