મોંઘવારીનાં રાવણનું થયું દહન, વાલિયા કોંગ્રેસે આપ્યો કાર્યક્રમ
BY Connect Gujarat18 Oct 2018 6:26 AM GMT
X
Connect Gujarat18 Oct 2018 6:26 AM GMT
દેશમાં મોંઘવારી રૂપે રાવણ લોકોના આર્થિક સંતુલનને બગાડી રહ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
દશેરા પર્વ નિમિત્તે આશુરી શક્તિ ઉપર વિજયનાં ભાગરૂપે રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે. હાલમાં દેશને મોંઘવારી રૂપી રાવણ નડી રહ્યો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા આશ્ચર્ય જનરક કાર્યક્રમની સાથે દશેરાની ઉજવણીનાં ભાગરૂપે મોંઘવારીનાં રાવણનું દહન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
દેસભરમાં થનારા આ કાર્યક્રમમાં વાલિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ રાવણ દહનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જે બાબતની જાણ વાલિયા મામલતદારને પણ કરવામાં આવી હતી.
આજરોજ દશેરા નિમિત્તે તળાવની સામે આવેલી ચોકડી ખાતે કોંગ્રેસ કાર્યાલય બહાર મોંઘવારીનાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાલિયા તાલુકા કોંગ્રેસનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Next Story