ઋષિકેશ-ગંગોત્રી હાઇવે પરથી બસ ખીણમાં ખાબકી, 14 લોકોનાં મોત
BY Connect Gujarat19 July 2018 12:40 PM GMT
X
Connect Gujarat19 July 2018 12:40 PM GMT
સૂર્યધર નજીક 250 મીટર ઊંડી ખીણાં ઉત્તરાખંડ પરિવહન નિગમની બસ ખાબગી
ઉત્તરાખંડના ઋષિકેશ-ગંગોત્રી હાઇવે ઉપર ગુરુવારે મોટી દુર્ઘટના ઘટી છે. સૂર્યધર નજીક 250 મીટર ઊંડી ખીણમાં ઉત્તરાખંડ પરિવહન નિગમની બસ ખાબકી હતી. જેમાં 14 લોકોના મોત થયા છે. જ્યારે 18 લોકો ઘાયલ થયા છે.
ઘટનાની જાણ થથાં ટિહરી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોંચી છે. સાથે સાથે ચાંબાથી રાહત બચાવની ટીમ સ્થળે પહોંચી છે. આ ઉપરાંત ડીએમ અને એસડીએમ પણ અહીં પહોંચ્યા છે. એસડીઆરએફના આઈજી સંય ગુન્યાલે કહ્યું કે, આ ઘટનામાં 14 લોકોના મોતના સમાચાર છે. જ્યારે આ ઘટનામાં 18 લોકો ઘાયલ છે. ઘાયલો પૈકીની 6 લોકોની હાલત વધારે ગંભીર છે.
Next Story