રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતાં અમદાવાદના પ્રિયાંક પંચાલને મળી તક
ટેસ્ટ સિરીઝ શરૂ થતાં પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, રોહિત શર્મા ઇજાગ્રસ્ત થતાં દ.આફ્રિકા ટૂરમાંથી બહાર
BY Connect Gujarat13 Dec 2021 4:01 PM GMT
X
Connect Gujarat13 Dec 2021 4:04 PM GMT
ભારતીય ટીમ આગામી 26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝ રમવા જઇ રહી છે. ટેસ્ટ સીરીઝ પહેલા ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ સીરીઝમાંથી રોહિત શર્મા બહાર થયો છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહે કહ્યું રોહિત શર્મા દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણીમાંથી ઈજાના કારણે બહાર થઈ ગયો છે. તેના સ્થાને પ્રિયાંક પંચાલને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે બોલાવવામાં આવ્યો છે. પ્રિયાંક ભારતની A ટીમનો કેપ્ટન છે. ટીમના થ્રો ડાઉન સ્પેશિયલિસ્ટ રાઘવેન્દ્ર પાસેથી થ્રો-ડાઉન લેતી વખતે રોહિતને ઈજા થઈ હતી.
મીડિયા રિપોર્ટ્સના આધારે ટ્રેનિંગ સેશન દરમિયાન રોહિતના ગ્લવ્સ પર જઈને બોલ વાગતા તે ઈજાગ્રસ્ત થયો છે. એટલું જ નહીં થોડા સમય માટે તો તે નર્વસ પણ જોવા મળ્યો હતો.
Next Story