અંકલેશ્વર: તારીખ 8 ડિસેમ્બરે ઇન્ટરનેશનલ મેરેથોન યોજાશે, હજારો દોડવીરો લેશે ભાગ

ઇન્ટરનેશનલ અંકલેશ્વર મેરાથોન યોજાશે જેમાં હજારો દોડવીરો ભાગ લેશે છેલ્લા બે વર્ષથી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા મેરાથોન દોડનું આયોજન કરવામાં આવે છે

New Update

અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

ઇન્ટરનેશનલ મેરેથોન યોજાશે

તારીખ 8 ડિસેમ્બરે યોજાશે ઇવેન્ટ

ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા આયોજન

માહિતી આપવા પ્રેસ કોન્ફરન્સ યોજાય

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા તારીખ-૮મી ડીસેમ્બરના રોજ ઇન્ટરનેશનલ અંકલેશ્વર મેરાથોન યોજાશે જેમાં હજારો દોડવીરો ભાગ લેશે છેલ્લા બે વર્ષથી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ સોસાયટી દ્વારા મેરાથોન દોડનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે તારીખ-૮મી ડીસેમ્બરના રોજ પણ ઇન્ટરનેશનલ અંકલેશ્વર મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું છે.
જે મેરાથોન દોડ અંગે માહિત આપવા માટે આજરોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના ચિલ્ડ્રન થિયેટર ખાતે એક પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં એ.આઈ.ડી.એસ.ના પ્રમુખ અશોક પંજવાણી,બેઇલ કંપનીના સી.ઈ.ઓ.,ડી.ડી.દલવાડી અને ઝઘડિયા ઉદ્યોગ મંડળના નરેન્દ્ર ભટ્ટ તેમજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના સંચાલકો ક્રિષ્ણસિંહ રાઉલ સહીત પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
આ પત્રકાર પરિષદમાં મેરાથોન દોડ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી અને આ મેરાથોનમાં જે ફંડ એકત્રિત કરવામાં આવશે તે ગ્રાઉન્ડના વિકાસ માટે ઉપયોગમાં લેવામાં આવશે.
#Connect Gujarat #marathon running #Marathon #ઇન્ટરનેશનલ મેરેથોન #Ankleshwar Marathon #મેરાથોન દોડ #International Ankleshwar Marathon
Here are a few more articles:
Read the Next Article