અંકલેશ્વર: પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા 22મી વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનો પ્રારંભ કરાયો

૨૨મી પી.આઈ.એ વિન્ટર સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ઉપ પ્રમુખ ચંપાલાલ રાવલ અને આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો

New Update
  • અંકલેશ્વરના પાનોલી ખાતે કરાયુ આયોજન

  • પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સનો પ્રારંભ

  • ૨૨મી પી.આઈ.એ વિન્ટર સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ

  • 96 ક્રિકેટ ટીમોએ લીધો ભાગ

  • પ્રથમ મેચમાં મીડિયા ઇલેવનનો વિજય

અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા 22મી વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા દર વર્ષે વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે જેના ભાગરૂપે એક ખેલાડી એક વૃક્ષ જરૂર વાવેના સૂત્ર સાથે પાનોલી એસ્ટેટમાં આવેલ જી.આઈ.ડી.સી. ગ્રાઉન્ડ ખાતે ૨૨મી પી.આઈ.એ વિન્ટર સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ઉપ પ્રમુખ ચંપાલાલ રાવલ અને આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ ટૂર્નામેન્ટમાં પ્રોલાઈફ ગ્રુપના એમ.ડી. કરણ જોલી,પાનોલી ઉદ્યોગ મંડળના જનરલ સેક્રેટરી કિરણસિંહ પરમાર,સ્પોર્ટસ કમિટીના ચેરમેન મહેબૂબ ફીજીવાલા, કો.ચેરમેન હેમંત પટેલ,કમિટી મેમ્બર ભરત પટેલ,ભરત કોઠારી તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
ઇવેન્ટમાં આજરોજ રસ્સા ખેંચ સહિતની સ્પર્ધા યોજાઈ હતી.આજે પ્રથમ મેચ મીડિયા ઈલેવન અને પી.આઈ.ઇન્દ્રસ્ટીઝ વચ્ચે રમાઈ હતી જેમાં મીડિયા ઇલેવનનો ભવ્ય વિજય થયો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 96 ટીમોએ ભાગ લીધો છે. આ ઉપરાંત વોલીબોલ, ચેસ, કેરમ અને દોડ સહિતની સ્પર્ધાઓ પણ યોજાશે.
Read the Next Article

IND vs ENG ટેસ્ટ: નંબર 3 પર કોને તક મળશે? કરુણ નાયરે પોતાના દિલની વાત કહી

ભારતીય ઉપ-કેપ્ટને બુધવારે સંકેત આપ્યો હતો કે કેપ્ટન શુભમન ગિલ 4 નંબર પર આવી શકે છે. તે જ સમયે, પંત પોતે 5 નંબર પર બેટિંગ કરતા જોવા મળશે.

New Update
crickts

ઇંગ્લેન્ડની ટીમે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ માટે તેના પ્લેઇંગ 11 ની જાહેરાત કરી છે. તે જ સમયે, ભારતની અંતિમ 11 ફક્ત ટોસ દરમિયાન જ જાણી શકાશે. જોકે, રિષભ પંતે પ્રેસ કોન્ફરન્સમાં ચિત્રને ઘણી હદ સુધી સ્પષ્ટ કરી દીધું હતું.

ગિલ 4 નંબર પર આવી શકે છે

ભારતીય ઉપ-કેપ્ટને બુધવારે સંકેત આપ્યો હતો કે કેપ્ટન શુભમન ગિલ 4 નંબર પર આવી શકે છે. તે જ સમયે, પંત પોતે 5 નંબર પર બેટિંગ કરતા જોવા મળશે. પંતે સ્પષ્ટ કર્યું નથી કે નંબર 3 પર કોને તક મળશે.

જોકે, BCCI એ આજે ​​એક વીડિયો શેર કર્યો. આ વીડિયો પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કરુણ નાયરને પ્રથમ ટેસ્ટમાં પ્લેઇંગ 11 માં તક મળી શકે છે. જો કરુણ અંતિમ 11 માં સ્થાન મેળવે છે, તો તેને 3 નંબર પર મેદાનમાં ઉતારી શકાય છે. તેણે છેલ્લા 8 વર્ષથી કોઈ ટેસ્ટ રમી નથી.

નાયરે પોતાના દિલની વાત કહી

BCCI દ્વારા X પર શેર કરાયેલા એક વીડિયોમાં, કરુણ નાયરે કહ્યું, "મારું લક્ષ્ય હંમેશા આ ટીમમાં પાછા ફરવાનું હતું. દરરોજ જ્યારે હું જાગતો હતો, ત્યારે હું વિચારતો હતો કે હું કેવી રીતે વાપસી કરી શકું. ફરી એકવાર ભારતીય જર્સી પહેરવી એ એક ખાસ અનુભૂતિ છે."

નાયરની ટેસ્ટ કારકિર્દી પર એક નજર

  • કરુણ નાયરે માર્ચ 2017 માં ધર્મશાલામાં ઓસ્ટ્રેલિયા સામે છેલ્લી ટેસ્ટ રમી હતી.
  • ત્યારથી, તે ભારતીય ટેસ્ટ ટીમમાં સ્થાન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
  • આ સમય દરમિયાન, તેણે ઘણી વખત સ્થાનિક ક્રિકેટમાં પણ પોતાને સાબિત કર્યું.
  • કરુણ નાયરે નવેમ્બર 2016 માં મોહાલીમાં ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
  • તેણે તેની કારકિર્દીમાં અત્યાર સુધી રમાયેલી 6 ટેસ્ટમાંથી 7 ઇનિંગ્સમાં 374 રન બનાવ્યા છે.
  • નાયરે ચેન્નાઈમાં ઇંગ્લેન્ડ સામે અણનમ 303 રન બનાવ્યા હતા.

BCCI દ્વારા X પર શેર કરાયેલા એક વીડિયોમાં, કરુણ નાયરે કહ્યું, "મારું લક્ષ્ય હંમેશા આ ટીમમાં પાછા ફરવાનું હતું. દરરોજ જ્યારે હું જાગતો હતો, ત્યારે હું વિચારતો હતો કે હું કેવી રીતે વાપસી કરી શકું. ફરી એકવાર ભારતીય જર્સી પહેરવી એ એક ખાસ અનુભૂતિ છે."