Connect Gujarat
સ્પોર્ટ્સ

IND vs ENG : ટીમ ઈન્ડિયા વધી મુશ્કેલી... રોહિત શર્મા કોરોના પોઝિટિવ, ટેસ્ટ મેચ માટે કોણ બનશે કેપ્ટન?

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના કેપ્ટન રોહિત શર્મા કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

IND vs ENG : ટીમ ઈન્ડિયા વધી મુશ્કેલી... રોહિત શર્મા કોરોના પોઝિટિવ, ટેસ્ટ મેચ માટે કોણ બનશે કેપ્ટન?
X

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચ પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના કેપ્ટન રોહિત શર્મા કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. BCCIએ ટ્વિટર પર લખ્યું, 'શનિવારે હાથ ધરવામાં આવેલા રેપિડ એન્ટિજેન ટેસ્ટ (RAT)માં કેપ્ટન રોહિત શર્માનો કોવિડ-19 માટે પોઝિટિવ ટેસ્ટ આવ્યો છે. હાલમાં તે ટીમ હોટલમાં આઈસોલેશનમાં છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની સંભાળ લઈ રહી છે. રોહિત હજુ પણ 5મી ટેસ્ટ રમી શકે છે, પરંતુ તેનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવશે ત્યારે જ તે આમ કરી શકશે. રોહિતનો RTPCR ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે, જેનો રિપોર્ટ થોડા કલાકોમાં આવશે. જો તે રિપોર્ટમાં પણ તે પોઝિટિવ જોવા મળે છે, તો તેની પાંચમી ટેસ્ટમાં ભાગ લેવાની શક્યતાઓ ઘેરી બની શકે છે.

બીસીસીઆઈએ 5મી ટેસ્ટ માટે કોઈપણ ઉપ-કેપ્ટનના નામની જાહેરાત કરી ન હતી. જો કે, જો રોહિત નહીં રમે તો રિષભ પંત પાંચમી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની કપ્તાની કરે તેવી સંભાવના છે. 24 વર્ષીય પંતે તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામેની T20I શ્રેણીમાં ભારતનું નેતૃત્વ કર્યું હતું. પસંદગીકારોના સંપૂર્ણ વિશ્વાસને કારણે પંતને આ જવાબદારી મળી શકે છે.

Next Story