આજે ટીમ ઈન્ડિયાના 3 એવા ક્રિકેટરોનો જન્મદિવસ છે, જેમના વિના ટીમ અધૂરી છે, જાણો

ભારતીય ક્રિકેટની દૃષ્ટિએ 6 ડિસેમ્બરનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. આ એવો દિવસ છે જ્યારે ટીમ ઈન્ડિયાના એક નહીં પરંતુ 3-3 ખેલાડીઓ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે,

આજે ટીમ ઈન્ડિયાના 3 એવા ક્રિકેટરોનો જન્મદિવસ છે, જેમના વિના ટીમ અધૂરી છે, જાણો
New Update

ભારતીય ક્રિકેટની દૃષ્ટિએ 6 ડિસેમ્બરનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે. આ એવો દિવસ છે જ્યારે ટીમ ઈન્ડિયાના એક નહીં પરંતુ 3-3 ખેલાડીઓ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે, જેમના વિના ટીમ પૂર્ણ થઈ શકે તેમ નથી. આમાં પહેલું નામ ભારતીય બોલિંગની કરોડરજ્જુ ગણાતા જસપ્રીત બુમરાહનું છે, જેઓ પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.



ઈજાના કારણે કેટલાક મહિનાઓથી ટીમની બહાર રહેલા બુમરાહ પર ટીમ ઈન્ડિયાને ODI વર્લ્ડ કપમાં જીત અપાવવાની મોટી જવાબદારી હશે. બુમરાહે 162 આંતરરાષ્ટ્રીય મેચમાં 319 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે. બુમરાહ ભારતના એવા કેટલાક બોલરોમાંનો એક છે જેમણે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેવાનું ગૌરવ મેળવ્યું છે.

શ્રેયસ અય્યર :-



શ્રેયસ અય્યર આજે ODI ક્રિકેટમાં ટીમના ભરોસાપાત્ર ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે. અય્યર આજે 28મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ભારતમાં યોજાનાર વર્લ્ડ કપ માટે મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે અય્યર મોટો દાવેદાર છે.

રવિન્દ્ર જાડેજા :-



ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર બેટ્સમેન રવિન્દ્ર જાડેજા પણ આજે પોતાનો 34મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ઈજાના કારણે ટીમની બહાર રહેલ જાડેજા આગામી વર્લ્ડ કપમાં ટીમ માટે મેચ વિનર સાબિત થઈ શકે છે. ટી-20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા જાડેજાને ઘણી મિસ કરી રહી છે. ટીમમાં જાડેજાનું મહત્વ તેના આંકડા પરથી સમજી શકાય છે. જાડેજાના નામે 482 આંતરરાષ્ટ્રીય વિકેટ ઉપરાંત 5,427 આંતરરાષ્ટ્રીય રન છે.

જો ટીમ ઈન્ડિયાએ આગામી વર્લ્ડ કપમાં વધુ સારું પ્રદર્શન કરવું હોય અને તેની વર્લ્ડ કપ ટ્રોફી માટે તો આ ત્રણેય ખેલાડીઓનું યોગદાન મહત્વનું રહેશે.

#3 Crickters Of Team India #Sports #cricket #sportsmen #Connect Gujarat #Shreyas Aiyar #BirthDay Celebration #Ravindra jadeja #Beyond Just News #Jaswant Singh Bhabhor
Here are a few more articles:
Read the Next Article