નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હવે રેલાશે શરણાઇના સુર, જુઓ કેમ

New Update
નર્મદા : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હવે રેલાશે શરણાઇના સુર, જુઓ કેમ

કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આસપાસ ટેન્ટસીટી સહિત અન્ય સ્થળોએ રોકાણ કરનારા ધંધાદારીઓની હાલત કફોડી બની છે ત્યારે ટેન્ટસીટીના સંચાલકોએ 2.50 લાખ રૂપિયામાં લગ્નના પેકેજની જાહેરાત કરી છે.

દેશમાં અનલોક અમલી બન્યું છે પણ સરકારે હજી પ્રવાસન સ્થળો ખોલવાની મંજૂરી આપી નથી. છેલ્લા 3 મહિનાથી ધંધાદારીઓ ભારે ખોટનો સામનો કરી રહયાં છે. ખાસ કરીને પ્રવાસીઓ ની ગેરહાજરીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુમાં આવેલ ટેન્ટ સીટી 1 અને 2, રમાડા હોટેલ સહિતના સંચાલકો ખોટ સહન કરી રહયાં છે. કોરોનાના વધી રહેલાં કેસોના કારણે હજુ ત્રણ ચાર મહિના પ્રવાસન ધામો ખુલી શકે એવી શક્યતાઓ નથી.

એટલે લલ્લુ એન્ડ સન્સ દ્વારા નિર્મિત ટેન્ટ સીટી 1 અને ગુજરાત ટુરિઝમ નિર્મિત ટેન્ટ સીટી 2 ખાતે લગ્ન પ્રસંગને મંજુરી આપવામાં આવી છે. તેમણે હાલ વેડિંગ માટે ના પેકેજ જાહેર કર્યા છે. સરકારની ગાઈડલાઈ પ્રમાણે 50 જેટલા સભ્યોની હાજરીમાં લગ્ન પ્રસંગને મંજૂરી મળી છે. ત્યારે નર્મદા ટેન્ટ સિટીઓ માં હવે લગ્ન પ્રસંગો નું આયોજન કરી ખોટ ને સરભર કરવા ની કોશિશ કારમાં આવી રહી છે.

Latest Stories
    Read the Next Article

    PM મોદી આજથી બ્રિટનની મુલાકાતે, કિંગ ચાર્લ્સ અને વડાપ્રધાન સાથે કરશે મુલાકાત

    વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વડાપ્રધાન મોદીના પ્રવાસના કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આજથી એટલે કે 23 થી 24 જુલાઈ દરમિયાન વડાપ્રધાન યુકેની મુલાકાતે છે.

    New Update
    PM Modi Poland Visit

    વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ વડાપ્રધાન મોદીના પ્રવાસના કાર્યક્રમ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે આજથી એટલે કે 23 થી 24 જુલાઈ દરમિયાન વડાપ્રધાન યુકેની મુલાકાતે છે.

    આ તેમની ચોથી મુલાકાત હશે. અને મુલાકાતમાં મુક્ત વેપાર કરાર (free trade)(FTA) ને ફાઈનલ સ્વરૂપ આપવામાં આવશે તો સાથે જ ઘણા વૈશ્વિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરશે જેમાં ખાલિસ્તાન જેવા મુદ્દાઓનો પણ સમાવેશ થાય છે.

    વિક્રમ મિશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદી તેમની બ્રિટનની મુલાકાત દરમિયાન વડાપ્રધાન કીર સ્ટારમર સાથે ચર્ચા કરશે તો સાથે તેઓ કિંગ ચાર્લ્સ (Third) ને પણ મળશે. આ ઉપરાંત ભારત અને બ્રિટન બંનેના વેપાર લક્ષી આગેવાનો સાથે પણ મુલાકાત કરીને ચર્ચા વિચારણા કરશે. બંને દેશો વ્યાપક રણનૈતિક ભાગીદારીની પ્રગતિ પર પણ ચર્ચા કરશે અને વેપાર, અર્થતંત્ર, ટેકનોલોજી, આવિષ્કાર, સુરક્ષા, જળવાયુ પરિવર્તન,હેલ્થ અને એજ્યુકેશન વગેરે મુદ્દે ચર્ચા કરશે. વડાપ્રધાન પદ સંભાળ્યા પછી નરેન્દ્ર મોદીની આ બ્રિટનની ચોથી મુલાકાત હશે.

    Latest Stories