સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લીમડી બાર ફળીયાના વિસ્તારમાં ૩૦ જેટલા પરિવારોને ખુલ્લી જગ્યા કરવા નોટિસ પાઠવતા ફફડાટ

New Update
સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લીમડી બાર ફળીયાના વિસ્તારમાં ૩૦ જેટલા પરિવારોને ખુલ્લી જગ્યા કરવા નોટિસ પાઠવતા ફફડાટ

સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે લીમડી બાર ફળીયાના વિસ્તારમાં ૩૦ જેટલા પરિવારો ૪૦ વર્ષથી વસવાટ કરી કાચા મકાનોમાં રહીને રોજગાર ધંધા કરી ગુજરાન ચલાવે છે. ત્યારે હાલ નર્મદા નિગમ દ્વારા ૩૦ જેટલા આ લોકોને તાત્કાલિક અસરથી મકાનો હટાવી ખુલ્લી જગ્યા કરવા નોટિસ પાઠવતા આ ૩૦ પરિવારો ફફડી ઉઠ્યા છે.

જોકે તેમને ગોરા કોલોની પાછળ કોમન પ્લોટો ફાળવવામાં આવ્યા છે.પણ હવે આ લોકો ત્યાં રહે તો રોજગાર કરવા ક્યાં જાય કેવી રીતે જીવે આ તમામ બાબતે આધિકરીઓને વિનંતી કરી રહ્યા છે.

તેમના કહેવા મુજબ તેમને જે પ્લોટ ફાળવેલ તે મુખ્ય રસ્તા થી ઘણી દૂર છે. હાલ ચોમાસાની સીઝન છે. ત્યારે આ સીઝન અહીંયા કાઢી લેવાદેવામાં આવે એવી માંગ કરી રહ્યા છે. જ્યારે નર્મદા બંધ બનતો હતો ત્યારે હજારો કામદારો ને ખાણી પીણી ના સાધન સામગ્રી પૂરું પાડતું નવાગામ લીમડી બાર ફળિયાનું આ બજાર ખુબ આશીર્વાદ રૂપ હતું. નર્મદા બંધની ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્રના જે કિનારાના ગામો હતા તે ગામોના લોકો પણ આ બજારમાં ખરીદી કરવા આવતા.

આજે કામ પૂર્ણ થઇ ગયું કામદારો બીજે જતા રહ્યા ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું અને બાજુમાં આ જે.પી કેમ્પનું બજાર આવેલું છે. ત્યારે આ બજાર હવે આધિકારીઓના આંખમાં ખુંચે છે કેમ કે એની જગ્યાએ કે માલેતુજાર આવી દુકાન નાંખશે જેથી સરકારને કરોડોની આવક થશે. પરંતુ જો આ લોકોને એવી ડિઝાઇનથી ફરી તેમનું મકાન બનાવે દુકાન બનાવે. જો કાયમી રહેવા મળે તો આ લોકો પણ ખર્ચ કરવા તૈયાર છે. છતાં ચોમાસુ દિવાળી નીકળે તોય બહુ કહી આધિકરીઓને વિનંતી કરી રહ્યા છે. પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૫ સપ્ટેમ્બર આવશેએ પહેલા બધું સપાટ કરવામાં આવશે.

Read the Next Article

દેવભૂમિ દ્વારકા : થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ જગત મંદિરે ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા...

દેવભૂમિ દ્વારકાના દ્વારકા જગત મંદિર ખાતે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

New Update
  • થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ દેવભૂમિ દ્વારકાના મહેમાન બન્યા

  • હિન્દુ સંસ્કૃતિને નજીકથી જાણવાના ઉદ્દેશ્ય સાથે ભારત આવ્યા

  • બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિ જગત મંદિરે પધાર્યા

  • ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો

  • બન્ને પક્ષોના ધાર્મિક વારસાને સમજવાની અનેરી તક મળી

દેવભૂમિ દ્વારકાના દ્વારકા જગત મંદિર ખાતે થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો.

થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ હિન્દુ સંસ્કૃતિને નજીકથી જાણવાના ઉદ્દેશ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમની આ યાત્રા બન્ને ધર્મો વચ્ચેના ગાઢ સંબંધો અને પરસ્પર સમજણને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. થાઈલેન્ડના ધર્મગુરુ સોમદેજ ફ્રા થેરાયન મુનિએ સૌપ્રથમ દ્વારક જગત મંદિરમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ દ્રશ્ય તેમની હિન્દુ સંસ્કૃતિ પ્રત્યેની આસ્થા અને આદરભાવને ઉજાગર કરે છે. ત્યારબાદ, તેમણે શારદાપીઠના બ્રહ્મચારીઓ અને સ્થાનિક ગુગળી બ્રાહ્મણો સાથે ધર્મ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક મૂલ્યો અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. આ ચર્ચાઓ દરમિયાન તેમણે બૌદ્ધ પરંપરાઓ અને દર્શનશાસ્ત્ર વિશે પણ માહિતી આપી હતી. જેનાથી બન્ને પક્ષોને એકબીજાના ધાર્મિક વારસાને સમજવાની અનેરી તક મળી હતી.

Latest Stories