Connect Gujarat
દુનિયા

નાગરિકતા બિલને લઈને આસામમાં પુરજોર વિરોધ, ગુવાહાટીમાં કર્ફ્યુ, આસામ જતી તમામ ફ્લાઇટ્સ રદ!

નાગરિકતા બિલને લઈને આસામમાં પુરજોર વિરોધ, ગુવાહાટીમાં કર્ફ્યુ, આસામ જતી તમામ ફ્લાઇટ્સ રદ!
X

નાગરિકત્વ સુધારણા બિલ બંને

સંસદમાં પસાર થયું છે. મોદી સરકાર તેને મોટી સફળતા માને છે. સંસદમાં બિલ પસાર થયા

પછી પણ રસ્તા પર આ બિલનો વિરોધ થઈ રહ્યો છે. પૂર્વોત્તર રાજ્યોમાં તેનો ઘણો વિરોધ

થઈ રહ્યો છે.

નાગરિકતા સંશોધન બિલ 2019

બંને સંસદમાં પસાર થયું છે. મોદી સરકાર તેને મોટી સફળતા માને છે.પરંતુ આ બિલનો

પુરજોર વિરોધ થઈ રહ્યો છે. પૂર્વોત્તર રાજ્યોમાં પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર ઉતરી

આવ્યા છે. નાગરિકત્વ સુધારણા બિલ અંગે ઉત્તર-પૂર્વમાં વિરોધને પગલે સ્પાઇસ જેટ, વિસ્તારા, ઈન્ડિગોએ આસામ જનારી તેમની

તમામ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે.

નાગરિકત્વ બિલ પસાર થયા બાદ

સૌથી વધુ વિરોધ આસામમાં થઈ રહ્યો છે. ગુવાહાટીમાં રાજ્ય સરકારે કર્ફ્યુ લગાવી દીધો

છે, જે આજે (ગુરુવારે) રાત્રે

સાત વાગ્યા સુધી ચાલુ રહેશે. આસામમાં વિદ્યાર્થી સંગઠનોના નેતૃત્વમાં ચાલી રહેલા

આંદોલનમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી. આ સાથે જ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ

સોનિયા ગાંધીએ બિલને ભારતના સંસદીય ઇતિહાસનો અંધકારમય દિવસ ગણાવ્યો છે. બંને

ગૃહોમાંથી CAB ને મંજૂરી મળવાથી

અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાન

માંથી ધાર્મિક ઉત્પીડનને કારણે ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયોના લોકોને ભારતીય

નાગરિકતા આપવાની જોગવાઈ છે. વડા પ્રધાને રાજ્યસભામાંથી સીએબી પસાર થતાં ખુશી

વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતના સંસદીય ઇતિહાસમાં આજનો દિવસ હંમેશા

ગર્વથી યાદ કરવામાં આવશે. લાખો શરણાર્થીઓને હવે ભારતનું નાગરિકત્વ મળશે.

રાજ્યસભામાં આ બિલ પસાર કરવા

માટે આઠ કલાક સુધી ભારે ચર્ચા ચાલી હતી, જે બાદ આ બિલ પસાર થઈ

શક્યું. ગૃહએ બિલને પસંદગી સમિતિને મોકલવાની વિપક્ષની દરખાસ્ત અને સુધારાને નકારી કાઢ્યું હતું. બિલની તરફેણમાં 125 મત આપવામાં આવ્યા હતા

જ્યારે 105 સભ્યોએ તેની વિરુદ્ધ મતદાન કર્યું હતું.

આ બિલ પસાર થયા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી (પીએમ નરેન્દ્ર મોદી) એ આજે ટ્વિટ કરીને દિવસને ઐતિહાસિક ગણાવ્યો છે.

Next Story