Connect Gujarat
ગુજરાત

સુરત : ભટાર નવજીવન સર્કલ પાસે સર્જાયો ગંભીર અકસ્માત, કારનું એન્જીન પણ નીકળી ગયુ બહાર

સુરત : ભટાર નવજીવન સર્કલ પાસે સર્જાયો ગંભીર અકસ્માત, કારનું એન્જીન પણ નીકળી ગયુ બહાર
X

સુરતના શહેરના નવજીવન સર્કલ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા કારમાં સવાર ચાર લોકોને ઇજા પહોંચી છે. જેમાં યુએસથી આવેલા કિરીટભાઈ ગણાત્રાને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લવાયા હતા.જ્યાં હાલત નાજૂક જણાતા વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

બનાવની પ્રાથમિક વિગતો અનુસાર વહેલી સવારે 4.35 વાગ્યાની આસપાસ નવજીવન સર્કલ પાસે એક ટ્રકે કારને અડફેટે લેતા કાર સર્કલ સાથે ધડાકાભેર અથડાઈ હતી અને સર્કલની દિવાલ તોડી અંદર ઘૂસી ગઇ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનું એન્જીન પણ બહાર આવી ગયું હતું. અકસ્માત થયાની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. તાત્કાલિક 108ની ટીમને જાણ કરી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. એનઆરઆઈ કિરીટભાઈ વેસુમાં પોતાના મિત્રને ત્યાં આવ્યા હતા અને વહેલી સવારે અમદાવાદ જવા નીકળ્યાં હતા એ સમયે તેમની કારને અકસ્માત નડ્યો હતો

Next Story