સુરત : કેબલ બ્રિજ પરથી વધુ એક કિશોરની મોતની છલાંગ

New Update
સુરત :  કેબલ બ્રિજ પરથી વધુ એક કિશોરની મોતની છલાંગ

સુરતના કેબલ બ્રિજ પરથી એક 16 વર્ષીય કિશોરે તાપી નદીમાં ઝપલાવતાં ચકચાર મચી જવા પામી હતી . ફાયર ફાયટર્સએ ઘટના સ્થળે દોડી આવી તેની શોધખોળ શરૂ કરી હતી.

સુરતમાં અડાજણ અને પારલે પોઇન્ટને જોડતા કેબલ બ્રિજ પરથી 16 વર્ષીય રાજ જાદવ નામના કિશોરે તાપી નદીમાં ઝાપલાવી દીધું હતું બનાવની જાણ રહીશોએ ફાયર વિભાગને કરી હતી. જેથી ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કિશોરની શોધખોળ હાથ ધરી હતી કિશોરે તેનો મોબાઈલ ફોન ગાડીમાં મૂકી તાપી નદીમાં ઝપલાવ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. જો કે યુવાને આપઘાત કેમ કર્યો તેની વિગતો બહાર આવી શકી નથી.

Latest Stories