Connect Gujarat
Featured

સુરત : શહેરમાં કોરોના વેકસીનના સર્વેની કામગીરી અટકી, જુઓ શું છે કારણ

સુરત : શહેરમાં કોરોના વેકસીનના સર્વેની કામગીરી અટકી, જુઓ શું છે કારણ
X

રાજયમાં સરકારી કર્મચારીઓ પોતાની માંગણીઓ સંદર્ભમાં હડતાળ પર ઉતરી રહયાં છે ત્યારે હવે સુરતમાં કોરોના વેકસીનેશનનું સર્વે કરતાં હેલ્થ વર્કરોનો પગાર નહિ થતાં તેઓ પણ અચોકકસ મુદતની હડતાળ પર ઉતરી ગયાં છે.

સુરતના નાના વરાછા અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના વેકસીનેશનનો ડોર ટુ ડોર સર્વે કરતા કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. અંદાજીત 200 જેટલા કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતાં વેકસીનેશનના સર્વેની કામગીરી પર અસર પડી છે. સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો વેકસીનેશન માટે ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરનારા કર્મીઓને દર મહિને 12 હજાર રૂપિયા પગાર આપવાનું નકકી કરવામાં આવ્યું છે. જોકે કર્મચારીઓએ આક્ષેપ કર્યા હતા કે બે મહિના થી અમને પગાર મળ્યો જ નથી અને આપ્યો છે તો ટુકડે ટુકડે થોડા ઘણા રૂપિયા આપ્યા છે.

મહત્વ નું છે કે કોરોના જેવી મહામારીમાં કર્મચારીઓએ ખભે ખભો મિલાવી પોતાની ફરજ બજાવી હતી. જોકે કર્મચારીઓને સમયસર પગાર નહીં મળતા આજરોજ 200 જેટલા કર્મચારીઓ નાના વરાછા અર્બન હેલ્થ સેન્ટર ખાતે વિરોધ પર ઉતરી આવ્યાં હતા…સુરતના હીરાબાગ ,વરાછા ,સરથાણા વગેરે હેલ્થ સેન્ટરના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા છે. જયાં સુધી સમયસર પગાર અંગેની ખાતરી નહિ મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે.

Next Story