સુરત મહાનગર પાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા
સ્વતંત્ર ભારતના 76માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ સુરત મહાનગર પાલિકા દ્વાર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.સુરતના ઉધના બસ સ્ટેન્ડ નજીકથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
