સુરત : પુણાના સ્થાનિકોને મનપાના અધિકારીએ કહ્યું “મચ્છર ના હોય ત્યાં રહેવા જતા રહો”, જુઓ પછી શું થયું..!

New Update
સુરત : પુણાના સ્થાનિકોને મનપાના અધિકારીએ કહ્યું “મચ્છર ના હોય ત્યાં રહેવા જતા રહો”, જુઓ પછી શું થયું..!

સુરત શહેરના પુણા વિસ્તારમાં આવેલ સાગર સોસાયટી અને સમ્રાટ સોસાયટીના નજીકથી પસાર થતી ખાડીનો રહીશો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ખાડીમાં ગંદકી હોવાના મચ્છરોનો ઉપદ્રવ વધે છે જેથી લોકો બીમાર પડી રહ્યા છે. ખાડીની સફાઈ માટે વારંવાર અરજી કરવા છતાં પરિણામ નહીં મળતા સ્થાનિકો બેનર સાથે ખાડી કાંઠે વિરોધ કરવા મેદાને ઉતર્યા હતા.

સુરત મહાનગરપાલિકા સ્વચ્છતાના બણગા ફૂકતી હોય તેવી ઘટના સામે આવી છે. શહેરના પુણા વિસ્તારમાં આવેલી સાગર સોસાયટી અને સમ્રાટ સોસાયટીના રહીશો સોસાયટી પાસેથી પસાર થતી ખાડીના કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ખાડીમાં ખૂબ ગંદકી હોવાથી સોસાયટીમાં મચ્છરોનો ઉપદ્રવ ખૂબ વધ્યો છે, જેના કારણે લોકો બીમાર પડી રહ્યા છે, ત્યારે સોસાયટીના રહીશો દ્વારા આ મામલે 100 જેટલી ઓનલાઈન અરજી કરવામાં આવી હતી. છતાં જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી પણ હલ્યું ન હતું. એટલું જ નહીં પરંતુ સોસાયટીના રાહીશો મનપા કચેરી ખાતે અધિકારીઓને મૌખિક રજૂઆત કરવા પહોચ્યા ત્યારે અધિકારીઓ લાજવાને બદલે ગાજવા લાગ્યા હતા.

પુણા વિસ્તારમાં આવેલી બન્ને સોસાયટીઓના રહીશોએ એવા પણ આક્ષેપ કર્યા હતા કે, મનપાના આરોગ્ય અધિકારીને રજૂઆત કરતા તેમણે ઉડાઉ જવાબ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, મચ્છર ના હોય ત્યાં રહેવા જતા રહો. જેથી સોસાયટીના રહીશોએ ખાડી કાંઠે જઈ બેનરો સાથે વિરોધ પોતાનો નોંધાવ્યો હતો. અત્રે મહત્વનું છે કે, સમગ્ર રાજ્યમાં સ્વચ્છતાની દ્રષ્ટિએ સુરતનો પ્રથમ ક્રમ આવે છે. પરંતુ હવે આવા કિસ્સાઓ બાદ મનપાના આળસુ અધિકારીઓ સુરતનું સ્વચ્છતા બાબતે નામ ડૂબાડે તો નવાઈ નહીં.

Read the Next Article

દેશના વિવિધ ભાગોમાં ચોમાસાનો કહેર, દિલ્હી-NCR, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગે આપી ચેતવણી

દેશના વિવિધ ભાગોમાં ચોમાસાનો કહેર ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​(5 જુલાઈ) દિલ્હી-NCR, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં

New Update
yellq

દેશના વિવિધ ભાગોમાં ચોમાસાનો કહેર ચાલુ છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આજે ​​(5 જુલાઈ) દિલ્હી-NCR, રાજસ્થાન, ઉત્તરાખંડ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે, પરંતુ ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવા અને પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.                                                                                 

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આજે (5 જુલાઈ)  છૂટછવાયો  વરસાદ પડી શકે છે. IMD અનુસાર, લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે.  રાજસ્થાન ગુજરાત સહિત  ઉત્તરાખંડમાં ચોમાસુ સંપૂર્ણપણે સક્રિય છે. રુદ્રપ્રયાગ અને બાગેશ્વરમાં ઓરેન્જ એલર્ટ જાહેર  કરવામાં આવ્યું છે. બાગેશ્વરમાં બધી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ભૂસ્ખલન અને નદીના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે ઘણા રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. કેદારનાથ યાત્રા પણ હાલ માટે બંધ કરવામાં આવી છે.                   

યુપી અને બિહારમાં હળવાથી મધ્યમ વરસાદ

ઉત્તર પ્રદેશના પૂર્વાંચલ અને તેરાઈ પ્રદેશોમાં હળવા વરસાદની આગાહી છે, જ્યારે પશ્ચિમી જિલ્લાઓમાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેશે. બિહારના ઘણા શહેરોમાં ભારે પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

રાજસ્થાનમાં સતત મુશળધાર વરસાદ

રાજસ્થાનના કોટા, અજમેર અને પોખરણમાં 128  મીમી સુધી વરસાદ નોંધાયો છે. ઘણા બંધના દરવાજા ખોલવા પડ્યા છે. જોધપુર અને અજમેરમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.